વેરાવળમાં કેસીસી ગ્રાઉન્ડમાં સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તમામ સમાજના ખેલૈયાઓ માટે યોજાતી સાર્વજનીક ગરબીનું આયોજન સરકારની ગાઇડલાઇન અને કોરોના મહામારીના લીધે રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવેલ છે. વેરાવળ ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ લખમણભાઇ ભેંસલાએ જણાવ્યું છે કે જીલ્લા મથક વેરાવળના કેસીસી ક્રિકેટ ગ્રાઉન્ડમાં છેલ્લા દસ વર્ષથી ખારવા સમાજ દ્વારા તમામ સમાજના ખેલૈયાઓ એક જ સ્થળે પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા રમી શકે અને શહેરીજનો નિહાળી શકે તે માટે સાર્વજનીક ગરબી યોજી નવરાત્રી મહોત્સવનું ઉજવણી કરવામાં આવે છે. ગરબીમાં નિ:શુલ્ક પ્રવેશ અને ગરબા રમવા સાથે દરરોજ ઇનામો અને ફાઇનલમાં વિજેતાઓને મોટર સાયકલ જેવા મોટા ઇનામો પ્રોત્સાહીત કરવા આપવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ રાજય સરકારે નવરાત્રી અંતર્ગત યોજાતી ગરબીઓ, રાસોત્સવના કાર્યક્રમો પર મનાઇ ફરમાવી છે. જેને ઘ્યાને લઇ ખારવા સમાજે પણ સરકારના લોકોને સુખાકારી માટે કરેલ નિર્ણયને આવકારી સામાજીક જવાબદારીને ઘ્યાને રાખી ચાલુ વર્ષે સાર્વજનીક ગરબીનું આયોજન રદ કરવાનો નિર્ણય સર્વાનુમતે સમાજના આગેવાનોએ લીધો છે.
Trending
- પંચાયત 3ના મેકર્સે કર્યું અનોખી રીતે પ્રમોશન, વીડિયો જોઈને ચાહકો ચોંકી ગયા
- રાજકોટ શહેર-જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓનો બંદોબસ્ત
- રાજકોટમાંથી 11,108 જયારે રેન્જના પાંચ જિલ્લાઓમાંથી 51,869 ગુનેગારોને ઉપાડી લેવાયા
- સુનિતા વિલિયમ્સે અવકાશની તેની ત્રીજી સફર વિષેતે તેની અપેક્ષાઓ રજૂ કરી
- લોકશાહીના મહા પર્વને ઉત્સાહ ભેર ઉજવીએ
- T20 વર્લ્ડ કપમાં આતંકી હુમલાની ધમકી કોણે આપી ?
- પૂંચ આતંકવાદી હુમલાના બે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરતી પોલીસ
- સુરત : નિલેશ કુંભાણીને મતદાન અગાઉ કોંગ્રેસ પ્રવક્તાની ખુલ્લી ચીમકી