Abtak Media Google News

આશાપુરા મંદિરે આરતીનો લ્હાવો લેતા શ્રદ્ધાળુઓ

આધાશકિતની આરાધનાનો આજે ત્રીજો દિવસ છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રીની સાદગીપૂર્ણ ઉજવણી થઈ રહી છે. ગરબા રમવાએ પણ માતાજી પ્રત્યેની શ્રધ્ધાનું જ એક‚પ છે. ઘણા લોકો નવરાત્રીના નવે નવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. નવરાત્રીમાં માતાજીના નવ સ્વ‚પોનું પૂજન કરવામાંઆવે છે. રાજકોટ શહેરનાં આસ્થાના પ્રતિક સમા નઆશાપુરાથ મંદિર ખાતે નવરાત્રિ નિમિતે નોરતાના પ્રથમ દિવસથી જ બેઠા પાંચ ગરબા ગાઈ માતાજીની ઉપાસના કરવામાં આવે છે. ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે પણ આશાપૂરા મંદિર ખાતે શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભાવિકોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ માતાજીની આરતીનો લાભ લીધો હતો. (તસવીર: શૈલેષ વાડોલીયા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.