સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી જ ભુકંપના આંચકા યથાવત છે ત્યારે ગઈકાલથી આજ સવાર સુધીમાં કચ્છના રાપરમાં, પોરબંદર અને તાલાલામાં ભુકંપનો એક-એક આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ રાત્રે ૧૧:૫૦ વાગ્યે કચ્છના રાપરથી ૧૨ કિલોમીટર દુર ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયો હતો ત્યારબાદ રાત્રે ૮:૪૯ કલાકે પોરબંદરથી ૩૨ કિલોમીટર દુર ૨.૩ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો અને મોડીરાત્રે ૧:૧૧ વાગ્યે તાલાલાથી ૧૧ કિલોમીટર દુર ૧ની તિવ્રતાનો આંચકો નોર્થ નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયો હતો. ભુકંપના આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ પણ આ ભુકંપના આંચકાઓથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત