Abtak Media Google News

બાલમંદિરથી શરૂ કરીને પ્રાથમિક શિક્ષણ સુધી બાળકોનું ગૃહ કાર્ય, પ્રોજેકટ  વિગેરેમાં મા-બાપ મદદ કરે છે, નિશાળે તેડવા-મુકવા સાથે શાળાની વાલી મિટીંગમાં મા-બાપને ભણાવાય છે

આજથી ચાર દાયકા પહેલા બાળકો ખંત ઉત્સાહ સાથે તણાવમુકત વાતાવરણમાં ભણતા હતા, ત્યારે વાલીઓ કયાંય ચિત્રમાં હતા જ નહીં, વિકસતા વિકાસ સાથે શાળાઓના નવા રંગરૂપ બદલાયાને માત્ર ૩ વર્ષના ટબુકડા બાળકને શાળાએ મોકલવાનો ક્રેઝ વઘ્યો ને નવા શૈક્ષણિક હાટડામાં લોઅર કેજી, નર્સરી, હાયર કે.જી. જેવા રૂપકડા નામોથી નીત નવા સિલેબસો પોતાની રીતે બનાવીને શિક્ષણના કહેવાતા જ્ઞાન મંદિરો શરૂ થયા, રમવાની ઉંમરે મસમોટા સ્કુલ બેગ સાથે ટબુકડું ઘરેથી સ્કુલ સુધી પહોંચે ત્યારે બસમાં જ એક કલાકની લાંબી ઉંઘ ખેંચી લે છે. શાળાએથી આવા બાળકોને દરરોજ લેશન પણ અપાય છે, બોલો જે બાળકને પેન્સીલ પકડતા નથી આવડતી તે લેશન કેમ કરે, બસ અહીંથી મોટા ભાગનાં મા-બાપો સંતાનોનું કામ કરતાં કરતાં પોતે ભણવા માંડે છે.

સરકારી નિયમ મુજબ પ વર્ષ પૂર્ણ બાળકો પૂર્ણ કરે ત્યારે ધો.૧ માં પ્રવેશ આપવો એવો છે. નર્સરી, એલ.કે. જી. કે.એચ. કે.જી. આવું કયાંય શિક્ષણ વિભાગમાં નિયમ જ નથી, હા, કોર્પોરેશનનું સંચાલિત આંગણવાડી ચાલે છે. જેમાં બાળકોને જ્ઞાન ગમ્મતથી શાળા વાતાવરણ જોડવાનું કાર્ય કરાય છે. બાલ મંદિરો કે પ્લે હાઉસ હોવા જોઇએ પણ આવડા નાના બાળક માટે શાળા તો ન જ હોવી જોઇએ, મા-બાપનો પણ વાંક છે, દેખા દેખીને કારણે બાળકોને મસમોટી ફી ચૂકવીને પોતે જ મોકલે છે તે પછી પોતે જ પોતાના બાળકના ઢસરડા કરતાં જોવા મળે છે.

શાળા પ્રવેશે બાળકોના ઇન્ટરવ્યુંની પ્રથા છે જ નહીં, પરિપત્ર પણ છે છતાં પણ ૩ કે ૪ વર્ષના બાળકોના તથા તેના વાલીના ઇન્ટરવ્યુ લે છે. આ તે કેવી શિક્ષણ પઘ્ધતિ, આવડું નાનકડું બાળક પહેલીવાર બહાર નીકળે છે હજી કશું જ આવડતું નથી ત્યાં અજાણ્યા વ્યકિત સામે કેમ બોલે એ તો તમો વિચારો, અહીંથી શિક્ષણમાં બાળકની સાથે મા-બાપ ભણતા જોવા મળે છે. અમુક શિક્ષણના યુનિટો તો મા-બાપ અભણ હોય તો બાળકને પ્રવેશ આપતાં નથી. આપણાં બંધારણમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર છે એ તો વિચારો

મા-બાપો, દેખા દેખીમાં અંગ્રેજી માઘ્યમમાં બેસાડીે ને પોતાને બરોબર આવડતું ન હોય ત્યાં નાનકડા બાળકનું ગજા બહારનું લેશન હોમવર્ક, ગૃહકાર્ય કે સ્વઅઘ્યનયોથી કયાંથી કરાવી શકે એટલા માટે બાળકની સાથે વાલીઓ પણ ભણવા લાગ્યા છ.ે જે આજના શિક્ષણની દેખ છે. પહેલા તો છોકરો કયારે ભણી લેતો તે મા-બાપ ને ખબર જ ન પડતી શાળાઓ પણ કોઇ દિવસ વાલીઓને બોલાવતા જ નહી આ પ્રથાની તદ્દન વિરુઘ્ધ છાશવારે વાલી મીટીંગના ગતકડામાં બાળકની સાથે વાલી પેણ ભણવા જાય છે.  ઘણાં વાલીઓ કહેતા પણ હોય છે કે અમારી વખતે આવું ન હતું છતાં અમે ભણ્યા એ પણ વગર ખર્ચે, આજે લાખોના ખર્ચ કરીએ તો પણ બાળકની સાથે અમારે ભણવું પડે છે.

આજની શાળાઓ અપાતા પ્રોજેકટ વર્ક સ્વાઘ્યાયપોથી કે અન્ય સહ અભ્યાયિક વર્ક મા-બાપ જ કરી દેતા હોય છે. છાત્રોને આપતા ગુરૂજ્ઞાન વાલીઓને પણ લાગુ પડવા લાગ્યા છે. આજના મા-બાપોને તેના સંતાનોની શિક્ષણ ચિંતા એટલી વધી ગઇ છે. જેની કોઇ સીમા નથી. આમાં શાળા સાથે મા-બાપનો પણ છે. બાળક ને મા-બાપ ઝડપથી હોશિયાર બનાવવાની હોડમાં બન્નેના જીવન બરબાદ કરી નાખે છે. એટલું સારુ શરુ થયું કે નવી શિક્ષણ નીતી ૨૦૨૦ આવતા હવે બે ધોરણ સુધી લેશન આપી શકાશે નહી સાથે પ્રારંભિક પાંચ વર્ષના તબકકામાં પ્રારંભિક બાળક શિક્ષણઅને ધો. ૧/૨ ને આવરી લેવાશે ધો. પ સુધી તમામ શિક્ષણ હવે માતૃભાષામાં જ અપાશે.

Screenshot 1 34

દુનિયા આટલી આગળ વધી ગઇ ત્યારે બાળકોનાં શિક્ષણ બાબતે કોઇ નકકર આયોજન થયા નથી. ઘણી શાળાઓમાં કેટલાય અનકવોલીફાઇડ સ્ટાફ બાળકોને ભણાવી રહ્યા છે. ટીચરના ખુદનાં જ એટલા પ્રશ્ર્નો હોય ત્યાં તમારા બાળક ને કેમ ભણાવે, ધો. ૭ સુધીના બાળકોને પુરૂ લખતા વાંચતા નથી આવડતું ત્યાં તે લેશન કેમ કરે, પ્રશ્ર્નોના જવાબો કેમ લખે ત્યારે એ કામ મા-બાપો જ કરી ને ગડબડગોટો વાળી દેતા જોવા મળે છે.

બાળકની સ્કુલ બેગ તૈયાર કરે, શાળાએ મીટીંગમાં જાય, પ્રોજેકટ વર્ક સમજે, તેડવા મુકવા જાય, બાળક આવે ત્યારે ટીચરની નોંધ વાચે જે તે મુજબ બાળક પાસે કામ કરાવે આવું તો ઘણું કામ મા-બાપ જ કરતાં જોવા મળે છે ત્યારે પ્રશ્ર્ન થાય કે બાળક ભણે છે કે મા-બાપજ કરતાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે બાળક ભણે છે કે મા-બાપ ? બાળકનાં રસ, રૂચી, વલણો કોઇ જોતું નથી ત્યાં બાળ મનોવિજ્ઞાનની વાત કયાં જઇને કરવી તો શાળામાં ગોખણ પટ્ટી ચાલી નીકળી છે. દરેક શાળાની જુદી રીતોથી મા-બાપ પણ મુંગા મોઢે સંતાનોનો વિકાસ થાય એવું માનીને ઢસરડા કરતાં જોવા મળે છે.

દરેક બાળકમાં ઇશ્ર્વરે છુપી કલાકે શકિત આપેલી હોય છે એ કોઇ જોતું નથી. મા-બાપ પણ પોતાના અધુરા સ્વપ્નો બાળકમાં જોતા હોવાથી તેને એવો બનાવવા આકાશ, પાતાળ એક કરે છે. સરવાળે બાળક અંગ્રેજી કે ગુજરાતી માઘ્યમ કયાંય રહેતું નથી. અંગ્રેજી માઘ્યમનો બાળક પોતાનું પુરુ નામ ગુજરાતીમાં લખી શકતો નથી, આવું શિક્ષણ શું કામનું એ પ્રશ્ર્ન ચિંતા અને ચિંતનનો વિષય છે. શિક્ષણ, શાળા સંકુલો એવા હોવા જોઇએ જેમાં બાળકને ભણવું ગમે ને તે પોતે ભણતો થાય એ પણ ઉત્સાહથી નહી કે મા-બાપને સથવારે

આજે તો મા-બાપ બાળકનું પ૦  ટકા કરી આપે છે બાળકની સાથે મા-બાપ પણ ભણે છે. એવા દ્રશ્યો ર૧મી સદીના શાળા મંદિરોના જોવા મળે છે. બાળકના ઘરના વાતાવરણમાંથી ઘણુ બધુ શીખીને શાળાના દાદરા પડે છે ને વર્ષો સુધી ભણ્યા બાદ ત્યાં ને ત્યાં જોવા મળે તે સ્વાભાવિક પ્રશ્ર્ન થાય કે શાળ શું કરે છે. બાળકમાં રહેલી કલાને પ્રોત્સાહન ન મળે, ઘ્યેય આધારીત પ્રગતિ કરે, શ્રેષ્ઠ નાગરીક નું ઘડતર થાય સાથે ગુણવતા સભર શિક્ષણ મેળવીને સર્ંવાગી વિકાસ કરે એ જ સાચું શિક્ષણ કહેવાય….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.