Abtak Media Google News

રાજસ્થાનમાં અખાત્રીજે તો મુંબઇમાં દિવાળીએ અને દિલ્હીમાં સ્વાતંત્ર્ય પર્વે ઉડે છે પતંગ, ગુજરાતમાં અમદાવાદમાં બે દિવસ ઉજવાય છે ઉત્સવ

આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાના અનેરા અવસરનું ઉત્સહપર્વ મકરસંક્રાંતિ ને આડે હવે વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસિયાઓ ઉમંગ, ઉત્સાહ પતંગની જેમ જ આભને આંબી રહ્યો છે. જો કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે ડરતા માર્યા લોકો પતંગ ચગાવવા અગાસી ઉપર આવશે કે પછી ડરથી ઘરમાં પૂરાઇ રહેશે તે તો ૧૪મીએ જ ખબર પડશે. સરકારે પણ ધાબા ઉપર પ૦ થી  વધુ માણસો ન ભેગા થવા ગાઇડ લાઇન જાહેર કરી છે.

ગુજરાતના અમદાવાદમાં તો બે િદવસ ઉત્સવ જેવો માહોલ હોય છે અહિ વાસી ઉતરાયણનું વિશેષ મહત્વ છે. સુરત, બરોડા, રાજકોટ, જેવા અનેક શહેરોમાં પતંગ રસીયોઓ  દોરો પાવાથી લઇને પતંગના આયોજન પણ કરી નાખ્યા છે. ધાબા ઉપર પરિવાર સાથે મિત્રો સાથે સવારથી સાંજ જલ્વામાં ડી.જે. ચીકી, બોર, જીંજરા, ખજુર, ઉંધીયુ જેવા વ્યંજનો પણ સામેલ થાય છે. અત્યારે તો બજારમાં પતંગ દોરા, ફિરકી વિગેરેની ઘુમ લેવાલી નિકળી પડી છે. નીત, નવા પતંગો પણ આ વર્ષે જોવા મળી રહ્યા છે.

2 1

આપણાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં વર્ષમાં એક જ વખત મકર સંક્રાતિ એજ પતંગ ચગાવાય છે. પરંતુ દેશના અલગ અલગ પ્રદેશોમાં કોઇને કોઇ પર્વને નિમિત બનાવી જો લોકો પતંગ ઉડાડે છે. તેથી દેશમાં આખુ વર્ષ કોઇને કોઇ તહેવારે પતંગ ઉડતી જ રહે છે. આ અંગેની વિગતો પતંગ-દોરા અને ખાસ માંજો પાવાવાળા ધંધા સાથે સંકળાયેલા અને ધંધાને કારણે દેશભરમાં ફરતા રહેતા ધંધાર્થીઓ પાસેથી ‘અબતક’ને જાણવા મળેલી વિગત મુજબ પશ્ર્ચિમ બંગાળમાં ખૂબ બંગાળીઓ નવરાત્રી દરમ્યાન વિશ્વકર્મા જયંતિ ઉજવણી પતંગ ઉડાવીને પતંગ પર્વ ઉજવે છે.

રાજસ્થાનમાં ખાસ કરીને બિકાનેર શહેરમાં અખાત્રીજે પતંગ રસીયા પતંગ ચગાવે છે. આ પાછળના કારણોમાં રાજસ્થાનના રાજવી રાવ બિકાજીએ અક્ષય તૃતિયાના દિવસે બિકાનેર શહેર વસાવેલ તેથી સ્થાપના દિવસે ઉજવણીના ભાગરુપે પતંગ ઉડાડાય છે. આ દિવસે ખીચડો ખાવાનું વિશેષ મહત્વ છે. અખાત્રીજ પહેલા બીજના દિવસથી જ પતંગ ઉડાડાય છે. રાજસ્થાનના બીજા એક શહેર જોધપુરમાં અખાત્રીજે પતંગ ચગાવવાનો રિવાજ છે, પરંતુ અખાત્રીજ કરતાં રક્ષાબંધનના દિવસે પતંગો વધુ ચગાવાય છે. રાજયના જયપુરમાં મકર સંક્રાંતિએ જ પતંગ ઉડાડાય છે.

3 1

પાટનગર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વાતંત્ર્ય પર્વે પતંગ ચગાવાય છે. જયારે મોહમયી બોલીવુડ નગરી મુંબઇમાં દિવાળી દરમ્યાન પતંગ રસીયા પતંગ ચગાવે છે. જો કે હવે મુંબઇ માં ગુજરાતી સ્થાય થયેલા ગુજજુ પરિવારો ૧૪મી જાન્યુઆરી મકર સંક્રાંતિએ જ પતંગ ઉડાડે છે. દક્ષિણના પ્રમુખ રાજય તામિલનાડુમાં પોંગલ ઉત્સવમાં પતંગ પ્રજા ચગાવે છે.

આખા દેશમાં પતંગ ઉડાવવાનું વિશેષ મહત્વ ઉતર પ્રદેશમાં છે, અહીં પતંગ રસીયાઓ બારે માસ પતંગ ઉડાડતા જોવા મળે છે. લખનૌમાં દિવાળી પર્વે તો કાનપુરમાં રક્ષા બંધને, મુરાદાબાદમાં વસંત પંચમીએ પતંગ ઉડાડવાનો રીવાજ છે. આપણા ગુજરાતમાં અપવાદરુપ પ્રભાસ પાટણમાં મકર સંક્રાતિ એ પતંગ નથી ઉડતી પણ ભર ચોમાસે પિતૃશ્રાઘ્ધ ના દિવસોથી પતંગ ઉડાડવાનું શરુ કરાય છે. જે છેક દેવ દિવાળી સુધી ચાલે છે.

4

પંજાબ  હરિયાળામાં મકરસઁક્રાતિ માધી નામથી ઓળખાય છે. સંક્રાતનો એક દિવસ પહેલા ‘લોહિડી’ નો ઉત્સવ મનાવે છે.

આપણા દેશમાં અલગ અલગ નામથી દેશભરમાં સંક્રાંતનું પર્વ મનાવાય છે અને આખુ વર્ષ પતંગના પડછાયા દેશમાં કયાંયને કયાંક ઝીંલાતા રહે છે.

Image 12

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.