Abtak Media Google News

રાજકોટમાં પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઈ આપઘાત

ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દારૂની કૂટેવના કારણે દંપતી વચ્ચે ઝઘડો થયો’તો

શહેરનાં ન્યુહંસરાજનગરમાં પત્ની રિસામણે ચાલી ગયાબાદ પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. આજીડેમ પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ દરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ પર ન્યુ હંસરાજનગરમાં રહેતા શાકભાજીનો ધંધો કરતા પ્રવિણ ઉર્ફે પરબત કિશન લલુડીયા નામના ૨૫ વર્ષિય યુવાને બપોરે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.બી. સુખાનદીએ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. અર્થે ખસેડયો હતો.

આપઘાત કરનાર પ્રવિણ ઉર્ફે પરબત શાકભાજીનો ધંધશે કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. છેલ્લા ઘણા સમયથી દારૂ પીવાની કૂટેવના કારણે તેની પત્ની ચાર દિવસ પૂર્વે ઝઘડો કરી માવતરે ચાલી જતા યુવકને માઠુ લાગી આવ્યું હતુ પત્ની રિસામણે હોવાથી યુવાને આત્મઘાતી પગલુ ભરી લીધું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.