Abtak Media Google News
  • બેંકમાં નોકરી કરતા યુવકે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું: પરિવારમાં આક્રંદ

શહેરમાં હુડકો ચોકડી પાસે કિરણ સોસાયટીમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કિરણ સોસાયટીમાં રહેતા અને એચ ડી એફ સી બેંકમાં નોકરી કરતા ઋષભ નવનીતભાઈ દેગડા નામના 25 વર્ષીય યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પી.એન.ગોહેલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ઋષભ બેંક કર્મચારી હતો. તેને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતક ઋષભ એક ભાઈ એક બહેનમાં નાના હોવાનુ જાણવા મળ્યું છે. પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.