Abtak Media Google News
  • ગીતાનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધનો આપઘાત

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા ગીતાનગરમાં રહેતા આરએમસીના નિવૃત્ત કર્મચારીએ બીમારી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસટી વર્કશોપ પાછળ આવેલા ગીતાનગરમાં રહેતા આરએમસીના નિવૃત્ત કર્મચારી દિલીપકુમાર હઠીસિંહ રાઠોડ(ઉ.વ.63)એ બીમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વૃદ્ધને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ અંગે જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. જેમાં પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિલીપકુમાર રાઠોડ આરએમસીના નિવૃત કર્મચારી હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે અને તે બે ભાઈમાં નાના હતા. મૃતક દિલીપકુમાર રાઠોડે બીમારીથી કંટાળી ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.