કોરોનાના નવા સ્ટેઇનવિપરીત સ્થિતિ હવે બેકાબુ બનશો જતો હોય તેવી પરિસ્થિતિમાં આભ ફાટ્યું હોય ત્યાં થીગડુ ક્યાં દેવું તેવી સ્થિતિ વચ્ચે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલો અને સરકારી તંત્ર પર નિર્ભર રહેવું હવે પાલવે તેમ નથી કંટ્રોલરૂમ ચાલુ કરવામાં આવ્યા છે પરંતુ પ્રજાને છેલ્લી ઘડીએ કામ આવવામાં કામ આવતા નથી કંટ્રોલરૂમ ઔપચારિક બની ગયા હોય તેમ વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલા દર્દીઓ અને દર્દીઓના સગાઓને કંટ્રોલ રૂમ પરથી યોગ્ય નિરાકરણ અને સાંત્વના ના બદલે સરકારી રાહે જવાબ મળી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે ખાસ કરીને હવે કોરોના જયારે બેકાબુ બન્યો છે તેવી પરિસ્થિતિમાં લોકોની વહારે ફરી એકવાર સૌરાષ્ટ્રની અને રાજ્યની સેવાભાવી સંસ્થાઓએ પોતાની માનવસેવાનો ધર્મ બજાવવાનો સમય આવી ગયો છે બિન સરકારી ધોરણે ચલતી માનવતાવાદી સંસ્થાઓમાં માનવ સેવા એ પરમો ધર્મ ગણવામાં આવે છે અત્યારે કોરોના ની પરિસ્થિતિ માં સરકારી હોસ્પિટલ સરકારી તંત્ર ક્યાંકને ક્યાંક મર્યાદા માં રહીને કામ કરતું હોય હવે કોરોના સામે મહાઅભિયાન પાડવાની જરૂર છે યુદ્ધના ધોરણે સંક્રમિત ઓનું ચેકિંગ, પોઝિટિવ દર્દીઓ ની તાત્કાલિક સારવાર,પથારી વેન્ટિલેટર દવાઓ ઇન્જેક્શનો ની જરૂરિયાતો પૂરી કરવાથી લઈને દર્દીઓ અને દર્દીઓના સગાઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સરકારી રાહે ચાલતી વ્યવસ્થાની સાથે સાત મદદરૂપ થવા માટે બિનરાજકીય સેવાભાવી સંસ્થાઓ અને રાજદ્વારી આગેવાનોએ આગળ આવવાની હવે જરૂરિયાત ઊભી થઇ છે “એક અકેલા થક જાયે તો મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના….ન મુદ્રાલેખ સાથે હવે કોરોના સામેની આ લડાઈ માં સરકારને સામાજિક સંસ્થાઓ અને સમાજ શ્રેષ્ઠીઓ ની સહાય ની જરૂરિયાત ઊભી થઈ છે સરકારી રાહે ચાલતી વ્યવસ્થા ના બદલે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જો સમાજના ઉત્તર દાયિત્વ નિભાવવા ના પોતાના ધર્મને કોરોનાની કટોકટીમાં સેવાનું માધ્યમ બનાવે તો અત્યારની પરિસ્થિતિમાં તંત્ર ત્યાં પહોંચી શકતું નથી તેવી જગ્યાએ સેવાભાવી સંસ્થાઓ નું નેટવર્ક લોકોને રાહત રૂપ બની શકે તેવા વહેલાસર સમજી લેવી જરૂરી બની છે.
Trending
- રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલી સીટ કેમ પસંદ કરી?
- પિતરાઈ ભાઈ-બહેને લગ્નબિ જીદ્દ કરતા મેન્ટલ કાઉન્સિલિંગની હિમાયત કરતી હાઇકોર્ટ
- હેલ્થ ઈન્સ્યોરન્સ લેતા પહેલા જાણી લેજો આ નિયમ , નહીંતર પસ્તાવાનો આવી શકે છે વારો !
- નખત્રાણાના પ્રેમી યુગલનો રાજકોટના પોલીસ મથકમાં બ્લેડના છરકા મારી આપઘાતનો પ્રયાસ : પ્રેમિકાનું મોત
- મતદાતાઓને મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરવાની અપીલ કરતા જે.જે.પટેલ
- અંતિમ દિવસોમાં ભાજપ – કોંગ્રેસના નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
- Elvish Yadav પર EDએ મની લોન્ડરિંગ કેસમાં FIR નોંધી
- ખાદ્ય વસ્તુઓ પર ફુગાવાને રોકવા આયાત-નિકાસમાં સરકારની નટચાલ