Abtak Media Google News

વૃઘ્ધાવસ્થાની લાકડી સમાન બે પુત્રો છીનવાઈ જતા પિતાનું આક્રંદ 

છેલ્લા એક વર્ષથી ઉપર કોરોનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. એમાય છેલ્લા એક મહિનાથી તો કોરોનાએ અનેક પરિવારના માળા વીખી નાખ્યા છે. અનેક પરિવારોને બેસહારા કરી દીધા છે. આવો જ એક બનાવ જામનગરમાંથી સામે આવ્યો છે. બેડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ વૃદ્ધના બંને જુવાન જોધ પુત્રોને માત્ર 24 કલાકના અંતરે કોરોના અને ન્યુમોનિયા ભરખી ગયો છે. બંને પુત્રોના મૃત્યુના પગલે વૃદ્ધની વૃધાવસ્થાનો સહારો ચાલ્યો જતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

શહેરના બેડી વિસ્તારમાં રહેતા ઇસાકભાઈ કેરના પુત્ર ખાલીદ કેર ઉવ 35 બીમાર પડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે પોઝિટિવ આવતા જીજીની કોવિડ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેઓની તબિયત સતત બગડતી ગઈ અને કલાકોના ગાળામાં જ ખાલીદે અંતિમ શ્વાસ ભર્યા, યુવાન પુત્રના મૃત્યુના પગલે કેર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભારે હૃદયે પરિવારજનોએ આ યુવાનની દફનવિધિ પૂર્ણ કરી ત્યાં અન્ય પુત્ર હુસેન ઉવ 32 બીમાર પડ્યો, આ યુવાનને પણ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.