Abtak Media Google News

ખેડૂતના મકાનના તાળા તોડી રૂ.65 હજારની મત્તાની ચોરી 

જસદણ તાલુકાના નવાગામ ગામે ખેડૂત પરિવારના મકાનમાં ધોળા દિવસે રૂપિયા 65 હજારની મતાની ચોરી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જસદણ નજીક આવેલા નવા ગામે રહેતા પરસોત્તમભાઈ જગદીશભાઈ ભોજાણી પોતાના પરિવાર સાથે ખેતી કામ કરવા વાડીએ ગયા હતા ત્યારે ધોળા દિવસે અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજા નો તાળા તોડી અંદર પ્રવેશી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ મળી રૂપિયા 65 હજારની મત્તાની ચોરી  થયા ની જાણ થતા ઇન્ચાર્જ પીઆઇ  સિસોદિયા, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો અને ડોગ સ્કવોડ સાથે  સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મકાન માલિક પરસોત્તમભાઈ ભોજાણી ની ફરિયાદ પરથીઅજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ દબાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.