હિન્દુ સંસ્કૃતિમાં નાનાથી મોટા દરેક ધાર્મિક તહેવારોને ભાવભેર ઉજવવામાં આવે છે. ખાસ તો આગામી 21 એપ્રીલ એટલે રામનવમી ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર સુદ નોમના બપોરે બાર વાગ્યે થયોહતો. સામાન્ય રીતે રામનવમીના દિવસે ઠેર ઠેર દેશ વિદેશમાં પ્રભુ શ્રી રામના જન્મ સમયે વિશેષ આરતી, દિપમાળા પ્રજવલીત કરવામાં આવતું હોય છે. મર્યાદા પુરૂષોતમ શ્રીરામના જન્મ અને જીવનથી આખા વિશ્ર્વને માર્ગદર્શન મળ્યું છે. કૌટુંબીક સામાજીત, રાજકીય મર્યાદામાં રહીને ઉતમ પુરૂષથનું ઉદાહરણ પૂરૂ પાડતુ શ્રીરામનું જીવન આપણને ઘણુ સમજાવી જાય છે. વર્તમાન સ્થિતિમાં કોરોના રૂપી રાક્ષસથી લડત આપવાની જરૂર હોવાથી દરેક વ્યકિત પોતાના ઘરે રહીને જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરે તે અંગે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા લોકોને અર્પીત કરવામાં આવી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર સહિત જયા જયા રામભકતો વસે છે. ત્યાં ભાવભેર ઉજવણી સહિત શોભાયાત્રાઓનું પણ આયોજન થતુ હોય છે. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને તમામ કાર્યક્રમો મોકૂફ રાખી દરેક વ્યકિત ઘરે રહીને શ્રીરામ જન્મોત્સવ ઉજવે તેવી તમામ રામભકતોને અપીલ કરવામાં આવી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ