અરવલ્લી એસીબીએ શામળાજી પાસે ટ્રકચાલકો પાસેથી સેલટેક્સ વિભાગના ઇન્સ્પેકટરો રૂપિયા ખંખેરતા હોવાની બાતમી આધારે કરેલી રેડમાં કારમાંથી રૂ.6.51 લાખ બિનહિસાબી મળી આવ્યા હતા. આથી વેરા નિરીક્ષક વિભાગના ચાર ઇન્સ્પેકટરોની અટકાયત કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.હિંમતનગર-શામળાજી હાઈવે પર દિલ્હી-મુંબઈ માલવહન કરતી ટ્રકોના ચાલકોને સેલટેક્સના વર્ગ-3 ના નિરીક્ષકો દ્વારા કનડગત કરાતી હોવાની અને રૂપિયા ખંખેરતા હોવાની બૂમ ઉઠતાં એસીબીની ટીમે હાઈવે પર ધામા નાખ્યા હતા. એસીબીના પીઆઇ સી.ડી. વણઝારા અને સ્ટાફે શામળાજી પાસે રેડ કરતાં 4 સેલટેક્ષ અધિકારીઓના હોશકોશ ઊડી ગયા હતા.અધિકારીઓની કાર (જીજે 18 બીએચ 1998)ની તલાશી લેતાં અંદરથી રોકડ રકમ રૂ. 6.51 લાખ બિનહિસાબી મળી આવતાં એસીબીએ વેરા નિરીક્ષક વિભાગના 4 ઇન્સ્પેક્ટરોની અટકાયત કરી જિલ્લાની એસીબીની વડી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પૂછપરછ દરમિયાન તેઓ આટલી મોટી બિનહિસાબી રકમ ક્યાંથી આવી આ અંગે જરૂરી પુરાવા રજૂ ન કરતાં તેમની સામે એસીબીએ ગુનો નોધી પ્રજાપતિ મહેન્દ્રકુમાર મનજીભાઈ શિવાનંદ કેશવલાલ જાદવ હાર્દિક દિલીપભાઈ લાંબા રોહિતકુમાર ગુણવંતલાલ ત્રિવેદી ચારની ધરપકડ કરતાં જીએસટી વિભાગમાં ફફડાટમચી જવા પામ્યો છે
Trending
- પશ્ચિમી દેશોનો ડાયમંડ સર્ટિફિકેટ અને કાર્બન ટેક્સનો નિયમ ભારતને નડશે!
- પેટાળમાંથી વધુમાં વધુ ખનીજો ઉલેચવા નવી નીતિ લાગુ કરાશે
- ભારત ચીની કંપનીઓના રોકાણને મંજૂરી આપશે પણ ફૂંકી ફૂંકીને!
- ઓછું મતદાન ચિંતાની વાત નથી, અમને રેકોર્ડબ્રેક બેઠકો જ મળશે : અમિત શાહનો દાવો
- Googleએ 200 જેટલા કર્મચારીઓને કર્યા નવરા!
- ચારધામ યાત્રા પહેલા હિમવર્ષા: ચાંદીની જેમ ચમક્યા બદ્રીનાથ ધામના શિખરો
- એકલા મુસાફરી કરતી વખતે આ ભૂલો ન કરો
- લોકતંત્રનો ભાગ્યવિધાતા “મતદાતા”