Abtak Media Google News

રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલી મીની લોકડાઉન સમી માર્ગદર્શિકાની અમલવારી માટે જામનગર જિલ્લા કલેકટર દ્વારા પણ ગઇકાલે સાંજે વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામુ તા.5-5-2021 સુધી અમલમાં રહેશે.રાજયમાં કોવિડ-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.06/04/2021 તથા તા.12/04/ર0ર1 ના હુકમથી જરૂરી નિયંત્રણો મુકવામાં આવ્યા છે.ભારત સરકારના વંચાણ  (2) ની સુચનાઓ ઘ્યાને લેતા સંદર્ભ-(3) માં દર્શાવેલ ગુજરાત સરકારના ગૃહ વિભાગના હકમથી વિશેષ સુચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર તથા જિલ્લાના અન્ય વિસ્તાર માટે સરકારની સુચનાઓનું ચુસ્તપણે અમલ થાય તે માટે નવેસરથી સુચનાઓ બહાર પાડવી જરૂરી જણાય છે. જેથી જામનગરના જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લો, જામનગર, રવિશંકર દ્વારા  ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 (1974ના નં.2) ની કલમ-144, ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની પ કલપર-37 (4), 43 ની રૂઈએ મળેલ અધિકાર અન્વયે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટ કલેકટર દ્વારા  જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે આ કચેરીના વંચાણ-(1) માં દર્શાવેલ તા.07/04/2021 ના જાહેરનામાં થી. તા30-4-ર021 સુધી રાત્રી કર્ફ્યુ અમલમાં મુકવામાં આવેલ છે. જે રાત્રી કફર્યું તા.05/05/20214સુધી દરરોજ રાત્રીના 08.00 કલાકથી સવારના 06.00 કલાક સુધી અમલમાં રહેશે. રાત્રી કફલેક સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. જેમાં બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ 71 કે સીટી બસની ટીકીટ રજુ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી ર આપવાની રહેશે.  , રાત્રી કર્ફ્યુના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહી., આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજુ કરવાના રહેશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે., અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય જિ અભિગમ દાખવવાનો રહેશે., તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શુ શુ બંધ રહેશે ? આવા સાગગે નિયંત્રણોઆવી છે ગાઈડલાઈન

આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટસ ( પાર્સલ સેવા સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ  તથા  કોર્મશીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે. તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એપીએમસીમાં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ-વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન ક કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.