ઉપલેટા શહેર તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગઇકાલે બપોરે બાદ વાતાવરણમાં જોરદાર પલટો આવતા વિજળીના કડાકા ભડાકા સાથ વરસાદને આગમન થયેલ પ્રથમ ધીમી ધારે બાદ ઘોઘમાર વરસાદ પડતા કુલ સાત ઇંચ જેવું પાણી ઉપલેટા પાટણવાવમા પડી જતાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. નાથનાથ ચોક પાસે આવેલ જડેશ્ર્વર મંદીર પાસે રહેલા ૧૦૦ જેટલા લોકો ફરતે પાણી ફરી વળતા મામલતદાર સહીતના કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીના નિકાલની કાર્યવાહી હાથ ધરેલ હતી.ગઇકાલે રાત્રે આઠથી દશ વાગ્યા વચ્ચે ઉપલેટા અને પાણટવાવ ગામમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વરવ્યા હતા. ભાયાવદર ગામે ગત સાંજે પાંચ ઇંચ જેવો વરસાદ વરસી જતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ગત રાત્રે સાત ઇંચ જેવો વરસાદ વરસતા મોસમનો કુલ ૨૩ ઇંચ વરસાદ પડયો છે. શહેરને પીવા તેમ જ સિંચાઇ ને પુરુ પાડતા મોજ ડેમમાં ૩॥ફુટ નવું પાણી આવતા ડેમની કુલ સપાટી ૩૭ ફુટ થઇ છે. છલકાવામાં ૭ ફુટ બાકી છે. જયારે ગવેથર ગામ પાસે આવેલ વેણુ ડેમ ફરી વખત રાત્રે ઓવર ફલો થતાં ડેમના બે પાટીયા અર્ધા ફુટ ખોલવામાં આવ્યા હતા. ભૂખી ગામ પાસે આવેલ ભાદર-ર ડેમ ઓવર ફલો થતાં આજે સવારે ડેમના બે પાટીયા ખોલવામાં આવેલ હતાં.ગામ વિસ્તારના પાટણવાવ ગામે ઘોધમાર સાત ઇંચ જેવો વરસાદ પડતા ડુંગર ઉ૫ર આવેલા માત્રીમાના મંદીરના બન્ને તળાવો ભરાઇ ગયા હતા જયારે ગામને પીવાના પાણી અને સિંચાઇ માટે આશીર્વાદ સમાન બાવળ વાળુ તળાવ અને ગામ તળાવ રપ વર્ષ બાદ ભરાતા પાણીનો પ્રશ્ર્ન હલ થઇ ગયો હોવાનું સરપંચ ગીરીશભાઇ પેઠાણી, અને ગામના વતના યાર્ડચેરમેન માધવજીભાઇ પટેલે જણાવેલ છે. જયારે ભાયાવદર ગામે પાંચ ઇંચ વરસાદ પડયો છે વડાવી ગામે ઘર ઉપર વીજળી પડતા કોઇ નુકશાની થવા પામી નહોતી. ગત સાંજે ભારે વરસાદ પડતા નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા મામલતદાર ભડાણીયા નગપરપતિ ચંદ્રવાડીયા, સુધરાઇ રાજય જયેશભાઇ ત્રિવેદી સહીતના કાફલો ધસી થઇ પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવી હતી.ગત રાત્રે જોરદાર વરસાદને કારણે શહેર પીવાનું અને સિંચાઇ ને પુરુ પાડતા ભાદર-ર, મોજ અને વેણુ ડેમમાં જોરદાર પાણીની આવક થતા ગમે ત્યારે પાણી છોડવામાં આવશે ત્યારે ડેમ વિસ્તારના વણજાંગજાવીયા, નાગવદર, નિલાખા, સેવંશા, લાઠ, ભિમોરા, મજેઠી, ભિમોરા સહીતના વિસ્તારના લોકોને રાત્રે વાડીમાં ન રોકાવવું અને નદી નાળામાં ન જાવું તેમ ઉપલેટા મામલતદાર એ.એમ. ભડાણીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ભાસ્કરભાઇ વ્યાસ જણાવેલ હતું.
Trending
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર
- જીવનશૈલીમાં બદલાવ ઉનાળામાં થતાં ચામડીના રોગોથી બચાવશે