Abtak Media Google News

કેહવાય છે ને કાળ ને કોણ રોકી શકે…!! દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે અરેરાટી ઉપજાવે તેવી એક ઘટના સામે આવી છે. સલાયા ગામમાં એક વેપારી યુવાનની બે પુત્રીઓના નિંદ્રાધીન હાલતમાં મોત નિપજતા ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.

Advertisement

બનાવની વિગત મુજબ સલાયા ગામે પોલીસ ચોકી નજીક સાજીદ અબ્દુલ સતાર મૌલવી નામના યુવા વેપારી અગ્રણી રહે છે. જેમની બે ફૂલ જેવી દીકરી કે એકની ઉમર 14 વર્ષ અને નામ સબીહા બીજીની ઉંમર 9 વર્ષ અને નામ ઈન્સા છે. રાત્રે સુતા દરમ્યાન બંનેના શરીરનો રંગ લીલાશ પડતો બની ગયો હતો. બંનેના મોત ઝેરી સાપ અથવા અન્ય ઝેરી જંતુ કરડી જવાથી થયું હોવાનું પ્રાથમિક તારણ છે.

એક પુત્રીનું મોત ઘરે જ નિપજ્યું હતું જ્યારે અન્ય પુત્રીને હોસ્પિટલ લઈ જતા સમયે થયું હતું. બંનેના મૃતદેહોને પીએમ અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. આ કરુંણ બનાવથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.