અમદાવાદ એરપોર્ટ ઉપર બુધવારે બપોરે જાપાનના વડાપ્રધાન પત્ની સાથે આવી પહોચ્યા હતા. આ પહેલા ભારતના વડાપ્રધાન મોદી પણ આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને દેશોમાં PM ખુલ્લી જીપમાં સવાર થઈને એરપોર્ટ ઉપરથી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે બુધવારથી અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. જેના કારણે અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ સુધી પહોચ્યાં ત્યારે રસ્તામાં દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરી હતી.સાથે ગાંધી આશ્રમમાં વડાપ્રધાને મેહમાનોને ગાંધીબાપુના ત્રણ વાંદરા વિશે માહિતી આપી હતી.
Trending
- Appleઆ વરસના 2 મોટા ઇવેન્ટમાં AIનો સમાવેશ કરશે ???
- આળસ ન કરતા, મતદાન કરજો…!
- દુર્લભ બીમારી પ્રોજેરિયાની સારવાર માટે “Zydus”ની બાયોફાર્મા કંપનીને અધિકારો મળ્યા
- આ હાવભાવથી તમે જાણી શકશો કે તમારા પાર્ટનરમાં કેટલો કંટ્રોલ છે
- લોકસભા ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ લવલી ભાજપમાં જોડાયા
- સફળ લગ્નજીવન માટે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું કેટલું અંતર હોવું જોઈએ?
- હવે નેપાળ તેની 100 રૂપિયાની નોટ પર ભારતના આ પ્રદેશનો નક્શો છાપશે
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા