અમદાવાદ એરપોર્ટ ઉપર બુધવારે બપોરે જાપાનના વડાપ્રધાન પત્ની સાથે આવી પહોચ્યા હતા. આ પહેલા ભારતના વડાપ્રધાન મોદી પણ આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને દેશોમાં PM ખુલ્લી જીપમાં સવાર થઈને એરપોર્ટ ઉપરથી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે બુધવારથી અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. જેના કારણે અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ સુધી પહોચ્યાં ત્યારે રસ્તામાં દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરી હતી.સાથે ગાંધી આશ્રમમાં વડાપ્રધાને મેહમાનોને ગાંધીબાપુના ત્રણ વાંદરા વિશે માહિતી આપી હતી.
Trending
- નવા ફોજદારી કાયદાના અમલ પહેલા જ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા
- આગામી સપ્તાહે ખુલશે 3 IPO …..રોકાણકારો થશે માલામાલ
- ઘરેલુ હિંસામાં કલમ 498નો ઉપયોગ બંધ કરવાનો સમય પાકી ગયો : સુપ્રીમ
- લ્યો બોલ હવે આ કારણથી ઓડિશાની પુરી સીટ પરથી કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું
- ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડીયા અને બિપીન પટેલ વચ્ચે ટક્કર
- વાંકાનેર:પુત્રીના અપહરણની આશંકાએ બે યુવકોનું અપહરણ કરી માર માર્યો
- સ્કૂટર માં પણ હવે સીએનજી : ક્રૂડ પરનું ધારણ ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન્ટ
- બ્રિટનના પૂર્વ વડાપ્રધાનને મતદાન મથકેથી લીલા તોરણે પાછા વાળી દેવાયા!!