Abtak Media Google News

રિક્ષા ચાલક યુવાનને છરીના ઘા ઝીંકી કુટુંબી સગાએ ઢીમઢાળી દીધું: હત્યા કરી ફરાર ધરાર પ્રેમીની શોધખોળ

મોરબીની ફકીર પરિણીતાના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શખ્સે પરિણીતાના પતિને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે હત્યા કરી ફરાર થયેલા ધરાર પ્રેમીની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતા ઇમરાન ઉમરશા શાહમદાર નામના ફકીર યુવાનને છરીના ઘા ઝીંકી મકરાણીવાસમાં રહેતા શરફરાજ ફિરોજ શાહમદાર નામના શખ્સે હત્યા કર્યાની જાહિરશા ઉમરશા શાહમદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતક ઇમરાન શાહમદારના પાંચ વર્ષ પહેલાં શાહિદા સાથે લગ્ન થયા હતા. શાહિદા મકરાણીવાસમાં રહેતા શરફરાજ શાહમદારને ગમતી હોવાથી અવાર નવાર તેના ઘરે આવતો અને પોતાની સાથે લગ્ન કરવા અંગે રહેતો હોવાથી મરનાર ઇમરાન શાહમદાર તેને સમજાવતો અને કહેતો કે, તે મારી પત્ની છે પરંતુ શાહિદાના એક તરફી પ્રેમમાં પાગલ બનેલા શરફરાજ શાહમદાર પોતાની સાથે લગ્ન કરવાની જીદ કરતો અને ગતરાતે આવી છરીથી આડેધડ હુમલો કરી હત્યા કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઇમરાનની હત્યા અંગેનો શફરાજ શાદમદાર સામે ગુનો નોંધી પી.આઇ. જે.એમ.આલ અને રાઇટર મહેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.