Abtak Media Google News

દિકરીને ભગાડી ગયો હોય સગીરાનાં પરીવારે રહેંશી નાખ્યો: મોતને ઘાટ ઉતારનાર ત્રણ સકંજામા

અબતક, જીતેન્દ્ર આચાર્ય ગોંડલ

Advertisement

શહેર નાં વોરાકોટડા રોડ પર આવેલ પંચપીર ની ધાર પાસે બપોર ના સુમારે દેવીપુજક યુવાન ને ફકીર મુસ્લિમ પરીવારે પત્થર,ટોમી તથા છરી વડે બેરહેમ વાર કરી રહેંશી નાખતા હત્યાના બનાવ નાં પગલે દોડી ગયેલી પોલીસે મૃતક ને સિવીલ હોસ્પિટલ ખસેડી શકમંદો ની અટક કરી તપાસ નો ધમધમાટ શરુ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ બપોર ના ત્રણ ના સુમારે પંચપીર ની ધાર પાસે રહેતા અને છુટક મજુરી કામ કરતા દેવીપુજક સુનીલ મનસુખભાઇ સોલંકી ઉ.23 ને તેની બાજુ માં રહેતા ફકીર પરીવારે પથ્થરો,હોકી,ટોમી તથા છરી વડે હુમલો કરી માર મારતાં સુનીલ ને માથા નાં ભાગે ગંભીર ઇજા પહોંચ તા ઘટના સ્થળે જ તેનુ મોત નિપજયુ હતુ.ઘટના ની જાણ થતા ઇન્ચાજઁ પી.આઈ.એ.બી.ગોહીલ સહીત નો સ્ટાફ દોડી જઇ સુનીલ ના મૃતદેહ ને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.દરમ્યાન રૂરલ ક્રાઈમ બ્રાંચે પણ તપાસ માં ઝુકાવી સમીર ફિરોઝ શામદાર,તથા તેના બે ભાઇઓ ને ઉઠાવી પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ સુત્રો અનુસાર જેની હત્યા થઇ તે સુનિલ ચાર પાંચ દિવસ પહેલા પાડોશી ફિરોઝ શામદાર ની સગીર પુત્રી ને ભગાડી ગયો હતો.બન્ને અમદાવાદ હોવા ની બાતમી મળતા સગીરા નો પરીવાર અમદાવાદ પંહોચ્યો હતો.અને બન્ને ને સમજાવી ને બપોર ના ગોંડલ પહોચ્યો હતો.

ગોંડલ પહોચ્યાં બાદ પંચપીર ની ધારે તેમના રહેઠાણ પાસે જ સગીરા ના પરીવારે રંગ બદલ્યો હતો અને પત્થર,ટોમી સહીત ના હથીયારો વડે સુનીલ ને ઘેરી લઇ તેની હત્યા કરી નાખી હતી.

પોલીસે હત્યા ની ઘટના અંગે ફરીયાદ ની તજવીજ હાથ ધરી છે.હત્યા માં સગીરા ના પિતા તથા માતા ની પણ સંડોવણી હોવાની શક્યતા હોય પીઆઈ. ગોહીલે ઝીણવટભરી તપાસ હાથ ધરીછે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.