Abtak Media Google News

સુરક્ષાદળોએ લશ્કર કમાન્ડર અબૂ ઇસ્માઇલને ઠાર માર્યો છે. અબૂ ઇસ્માઇલ અમરનાથ હુમલાનો મુખ્ય આરોપી હતો. જમ્મુ-કાશ્મીરના નૌગામમાં અબૂ ઇસ્માઇલ ઉપરાંત અન્ય એક આતંકીને પણ નૌગામ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ ઠાર માર્યો છે. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી છે.

5 ઓગષ્ટે સોપોરમાં સિક્યોરિટી ફોર્સે એન્કાઉન્ટર કરી 3 આતંકીઓને ઠાર કર્યા હતા. આ અથડામણમાં પોલીસનો પણ એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ફોર્સે આતંકીઓ પાસેથી 3 AK-47 રાયફલ જપ્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.