Abtak Media Google News

DNAમાં બદલાવતા થાઇરોડ કેન્સરનું જોખમ વધી જતું : યોગ્ય સમય ઉપર ઈલાજ કરવામાં આવે તો લોકો કેન્સરથી બચી પણ શકે છે

હાલ લોકોની જીવનશૈલીમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે તેમના શરીર ઉપર પણ ઘણી ખરી માંથી અસરનો સામનો પણ થતો નજરે પડતો હોઈ છે. તો સામે પ્રશ્ન એ પણ છે કે, કો જે રીતે પોતાના શરીરને લઈ જાગૃત થવા જોઈએ તે હજુ સુધી જોવા મળતા નથી અને ખૂબ લાંબો સમય વીતી ગયા પછી જ્યારે તેઓ પોતાના પ્રશ્નનો ઈલાજ કરાવવા ડોક્ટરો પાસે જતાં હોય છે ત્યારે તે પ્રશ્ન ખૂબ જ વિકટ અને ગંભીર બની ગયો હોય છે.
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે લોકોને ગળામાં સહેજ પણ હિત જેવું થાય તો તેઓ તેને નજર અંદાજ કરી દેતા હોય છે તું તેઓને એ વાતનો ખ્યાલ હોતો નથી કે તેમના દ્વારા કરવામાં આવેલુ નજર અંદાજ તેમના માટે ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે અને થાઇરોઇડ કેન્સર નું પ્રમાણ સતત વધી જતું હોય છે. ક્યારે તબીબો માનવું છે કે આ પ્રકારના દર્દીઓને ગાળામાં સમસ્યા ઊભી થાય તેઓએ ડોક્ટરને દેખાડવું જોઈએ અને તે દર્દીને ગંભીરતાથી લેવું જોઈએ. તજજ્ઞોનું માનવું છે કે હોર્મોન્સમાં બદલાવ આવતાની સાથે જ થાઇરોઇડ કેન્સર નું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે આ પરિસ્થિતિમાં લોકોની જાગૃતતા અત્યંત કારગર અને મહત્વપૂર્ણ નીવડે છે.
ડોક્ટરોનું માનવું છે કે થાઇરોઇડ કેન્સર જે દર્દીઓને થતા હોય છે તેમાં સૌથી મોટું કારણ એ છે કે થાઇરોઇડ જેલમાં જે ડી એન એ છે તેમાં સતત બદલાવ આવતો હોય છે. ડૉક્ટરોનું માનવું છે કે વારસાગત તકલીફો સાથોસાથ મેદસ્વિતા અને બાળપણમાં યોગ્ય આહાર મળ્યો ન હોય અથવા તો યોગ્ય જાળવણી શરીરથી ન કરવામાં આવી હોય તો પણ થાઇરોઇડ કેન્સર નું પ્રમાણ સતત વધતું હોય છે. નહિ તબીબોએ જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ લોકોને પોતાના ગળા ની આજુબાજુ નસ પૂરેલી અથવા તો કોઈપણ બે પ્રકારના સિંહ દેખાય કે જે પહેલા ન દેખાતા હોય તો તેઓએ સીધો જ ડોક્ટરનો સંપર્ક આ જોવો જોઈએ. એટલું જ નહીં તેઓએ અન્ય ઉપાયો પણ આપ્યા હતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોલઝ ફિટિંગ શર્ટ પહેરે તેમના કોલર વધુ ટાઈટ જણાય તો પણ તેઓ એ ડૉક્ટરને દેખાવું જોઈએ.
ડોક્ટરોએ વાત અંગે પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે જે લોકો સરળતાથી ખાઈ શકાય તેવા ખાદ્ય પદાર્થોનું સેવન કરતા હોય અને તેઓને જ્યારે ગળામાં તકલીફ ઊભી થાય તો તે પણ પ્રોસ્ટેટ કેન્સર એટલે કે ગળાનું કેન્સર થવાના સિંહો હોઈ શકે છે જેનાથી તેઓએ સાવચેતી દાખવી પડશે અને સમયાંતરે ડૉક્ટરને આ અંગે પોતાનું ચેકપ પણ કરવું જોઈએ. આ પ્રકારની તકલીફ ઉદભવતની સાથે જ જો તબીબનો સંપર્ક સાધવામાં આવે તો ગંભીર બીમારીથી બચી શકાય છે કારણ કે થ્રોટ કેન્સર દવાનું સેવન કરવાથી પણ મટી શકે છે પરંતુ યોગ્ય સમયે તેનું નિવારણ કરવામાં આવ્યું હોય તો જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.