Abtak Media Google News

એક વર્ષ આદેશને યોજના હેઠળ સ્વાસ્થ્ય સુરક્ષા પ્રદાન કરી

છેવાડાના વિસ્તારોના મધ્યમવર્ગીય પરિવારના અને ગંભીર બીમારી ધરાવતા બાળકોના આરોગ્યની ખેવના રાજયસરકાર દ્વારા ખૂબ સારી રીતે રાખવામાં આવે છે , તે આદેશ મુરીયાનાના કિસ્સામાં ચરિતાર્થ થયું છે .

ઉપલેટા તાલુકાના ખારચીયા ગામનાં રહેવાસી આદેશ મુરીયાના કે જેની ઉંમર માત્ર 1 વર્ષની છે , તેની તબિયત બગડી ત્યારે પરિવાર આખો હોસ્પિટલે દોડી ગયો . પરંતુ બાળકમાં જોવા મળતા લક્ષણો અસામાન્ય જણાની સ્થાનિક ડોકટરે બાળકની તપાસ જુનાગઢ હોસ્પિટલ ખાતે કરાવવાનું જણાવ્યું . ત્યાં 4ઉ તપાસ દરમિયાન હૃદય ડાબી બાજુએ ન હોવાની અને હૃદયમાં કાણું હોવાની જાણ થતા આદેશની માતા લીલાબેન અને કારખાનામાં કામ કરતાં પિતા જગદીશભાઈની માથે તો આભ તુટી પડયું .

આ સંજોગોમાં તેમનાં પુત્રનાં સ્વાસ્થ્ય અંગેનું માર્ગદર્શન આપતી રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે નાણાકીય અને માનસિક બન્ને રીતે તેમને મજબૂત બનાવ્યા , અને જરૂર જણાતા આદેશનું ઓપરેશન કરાવવા પણ રાજી કર્યા , જેના પરિણામ સ્વરૂપ હાલ આદેશ તેના પરિવારજનો સાથે હસતો કુદતો રમી રહ્યો છે . ડો . હીરેન ટાંક અને અમદાવાદની યુ . એન મહેતા હોસ્પિટલના સ્ટાફએ પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો . જાણે કે આદેશ તેમનો જ પુત્ર હોય તે રીતે તેમની સંભાળ રાખી હતી . જેના કારણે આદેશ તેના પરિવાર માટે આનંદનું કારણ બની રહ્યો છે . સરકારશ્રીની આર.બી એસ.કે. યોજના દ્વારા આદેશનું જીવન બચાવવા યોગ્ય સમયે મળેલી સારવાર બદલ તેના પરિવારે સરકારનો આભાર માન્યો હતો .

આદેશના પરિવારના સભ્ય મનિષાબહેન જણાવે છે કે , તેમને પણ પોતાના 1 વર્ષના પુત્ર માટે એક પણ નાણીનો ખર્ચ કરવો પડ્યો નથી . ઉપરથી આર.બી એસ.કે. ની ટીમ દ્વારા હોસ્પિટલથી ઘર સુધી આવવા જવા માટેના 700 રૂપિયા પણ આપવામાં આવ્યા હતા .

સામાન્ય રીતે મધ્યમ વર્ગના પરિવાર માટે બહોળા પ્રમાણમાં થતાં ઓપરેશનનાં ખર્ચ ભોગવવો ખૂબ જ મુશ્કેલ બને છે . એવા સંજોગોમાં બાળકના આરોગ્ય ઉપર જીવલેણ અસર પણ થતી જોવા મળતી હોય છે . આવા વાલીઓની મદદ સરકાર દ્વારા આર.બી એસ.કે. યોજના અન્વયે કરવામાં આવે છે . આર.બી.એસ.કે. ની ટીમના સભ્ય ડો . ભાવેશ રૈયાણી જણાવે છે કે , આ યોજનાનો લાભ 0 થી 18 વર્ષ સુધીના તમામ બાળકોને આપવામાં આવે છે .

6 વર્ષ સુધીના બાળકોની તપાસ આર.બી એસ.કે ની ટીમ દ્વારા આંગણવાડીમાં વર્ષમાં બે વખત કરવામાં આવે છે . જયારે 6 થી 18 વર્ષ સુધીના બાળકોની તપાસ શાળાએ જઈને કરવામાં આવે છે . જે બાળકો શાળાએ જતાં ન હોય તેમની ઘરે જઈને પણ તપાસ કરવામાં આવે છે . આ યોજના હેઠળ વાલીને પરિવહન માટેનો ખર્ચ પણ ચૂકવવામાં આવતો હોય છે , જે લાભાર્થીને ઓપરેશન કરાવવાની જરૂર ન હોય તેમને ઘરે જઈને સારવાર કરી નિ : શુલ્ક દવા આપવામાં આવતી હોય છે .

રાજ્ય સરકારે અમલમાં મૂકેલી આ યોજનાથી બાળકોના મૃત્યુ દરમાં ઘણી મોટી સંખ્યામાં ઘટાડો થયો છે . બાળકોના સર્વાંગી વિકાસ માટે આર.બી.એસ.કે ની ટીમ ગામડાથી લઈને જિલ્લા સુધી કાર્યરત છે .

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.