Abtak Media Google News

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે 8 વર્ષમાં 800થી વધુ યોજના,જાહેરાતો, નિર્ણયો અને કાર્યો સાકાર કર્યા: રાજુભાઈ ધ્રુવ

કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં 26 મેના રોજ 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાના અવસર પર સૌરાષ્ટ્ર  ભાજપ  પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’થી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી એવા  ઐતિહાસિક કાર્યો કર્યા છે અને એવા નિર્ણયો લીધા છે

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે,આ આઠ વર્ષના સમયગાળામાં નરેન્દ્ર્ભાઈ મોદીએ ગુજરાતનાં વિકાસની પણ પાંખો આપી છે અને અનેકવિધ યોજનાઓ દ્વારા રાજ્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. વડાપ્રધાન જ્યારે જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે ત્યારે ગુજરાત માટે ભેટ સોગાદ લાવ્યા છે.

ગુજરાતમાં વેક્સિનનું ઉત્પાદન હોય , અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન યોજના હોય, નર્મદા યોજના હોય, સ્ટેચ્યું ઓફ યુનિટી યોજના હોય, રાજકોટને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય, જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર હોય ગુજરાત હમેશા અગ્રેસર રહયુ છે. આ સિવાય પણ અનેક વિધ યોજનાઓ દ્વારા ગુજરાતનો વિકાસ થયો છે જે નરેન્દ્ર્ભાઈ મોદીને અને ભાજપ સરકારને આભારી છે.

રાષ્ટ્રીય કક્ષાએ પણ  કલમ 370, 35-એ, રામ મંદિર નિર્માણ, નાગરિકત્વ સંશોધન કાયદો, ત્રિપલ તલાક પ્રથાનો અંત, 10% અનામત, કિસાન સમ્માન નિધિ, જનધન, આયુષ્માન, જન આરોગ્ય વીમા કવચ, જન ઔષધિ કેન્દ્ર, ઉજ્જવલા, સૌભાગ્ય, મુદ્રા, વન રેન્ક-વન પેન્શન, સ્વચ્છ ભારત, આત્મ નિર્ભર ભારત, ઘરનું ઘર, નલ સે જલ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવું નિર્માણાધીન સંસદ પરિસર, અટલ ટનલ યોજનાથી લઈ નવા એકસોથી વધુ એરપોર્ટ નિર્માણ,  ગંગાઘાટના જીણોધ્ધાર, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક વગેરે યોજનાઓ દ્વારા મોદી સરકારે દેશને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધો છે.

છેલ્લા 8 વર્ષમાં 800થી વધુ યોજના, જાહેરાતો, નિર્ણયો અને કાર્યો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની  ભાજપ સરકારે કરેલા છે એટલું જ નહીં પરંતુ આ નિર્ણયો થકી  ભારતનો સર્વાંગી વિકાસ શક્ય બનાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીનું પ્રધાન નોંધનીય છે. મહામારીના સમયમાં ભારતે વેક્સિનેશન માટે જે કામગીરી કરી છે તેની નોંધ વિશ્વના મોટાભાગના દેશોએ લીધી છે આ ઉપરાંત યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના મામલામાં પણ ભારતે અપનાવેલા સ્ટેન્ડને વિશ્વ મંચે આવકાર આપ્યો હતો.  નરેન્દ્રભાઈ મોદી વર્લ્ડ લીડર તરીકે પ્રસ્થાપિત થયા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસ પામી રહ્યો છે એટલું જ નથી, દેશ નવા રૂપરંગ પણ પામી રહ્યો છે.

છેલ્લા આઠ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં નવાનવા સ્થળો અને બાંધકામ થઈ રહ્યા છે તો ઐતિહાસિક સ્મારકો-ચિન્હોનું પણ નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. ઈફ્રાસ્ટ્રકચર ઉપરાંત ઇક્વાલિટી પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તમે જોઈ શકશો કે હવે દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા સામાન્ય નાગરિકમાં રહેલી અસામાન્ય પ્રતિભાની શોધ કરી કેન્દ્ર સરકાર દલિત, વંચિત, શોષિત, પીડિતને તેની અસાધારણ પ્રતિભા બદલ રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન આપી રહી છે.

એક ભારત – શ્રેષ્ઠ ભારત – આત્મનિર્ભર ભારત, સમાવેશી – વિકાસલક્ષી ભારત, ભ્રષ્ટાચાર મુક્ત – ભયમુક્ત, સશક્ત – સમૃદ્ધ ભારતનું નિર્માણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના શાસનકાળની સૌથી મોટી સિદ્ધિ છે. અનેક ક્લ્યાણકારી પહેલ કેન્દ્ર સરકારે કરી છે. મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, ફિટ ઈન્ડિયા સહિત વિવિધ પહેલનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માણ છે. ફક્ત આ જ નહીં આ સાથે પર્યાવરણ અને વૈશ્વિક સમસ્યા પર પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરિણામે ભારતની વિદેશનીતિની પ્રસંશા પણ દેશ-દુનિયામાં થઈ રહી છે. વિશ્વભરમાં ભારતની યશ, કીર્તિ અને સિદ્ધિઓ પાછળ વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદી જવાબદાર છે.

આજે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દુનિયાના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે અને ભારતના એકમાત્ર એવા પ્રધાનમંત્રી છે જેને વિશ્વના સૌથી વધુ ભિન્નભિન્ન સર્વોચ સન્માન પ્રાપ્ત થયા છે. નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારની આઠ વર્ષની સિદ્ધિ – ઉપલદ્ધિઓની સૂચી ઘણી જ લાંબી છે. દરેક બાબત વિસ્તારથી, વિસ્તૃત રીતે સમજાવવામાં સમય અને શબ્દની મર્યાદા બાધ બને છે તેથી ટૂંકમાં કહેવું હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની  સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એટલું જ કહી શકાય કે, પૂરા વિશ્વમાં ભારતે ગુમાવેલી પોતાની અસલ ઓળખને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારે આઠ વર્ષના કાર્યકાળમાં પુન: અપાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપ સરકારને પક્ષ ની સ્થાપના સમયે સ્થાપકોએ આપેલ વચનો-સંકલ્પો ,સપનાઓ  સાકાર કરવા ની ભગીરથ કાર્યસિદ્ધિ સાથે  કેન્દ્રમાં યશસ્વી રીતે સફળતાપૂર્ણ આઠ વર્ષ પૂર્ણ થવા અવસર નિમિત્તે અભિનંદન પાઠવું છું એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.