Abtak Media Google News

ભારતીય ચલચીત્ર જગતના સુપર ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર આજે બપોરે બે વાગ્યે ભગવાન સોમનાથ દાદાના દર્શન-પૂજન ધજારોહણ કરી આર્શીવાદ મેળવશે.

તા.3જુને ભારતભરનાં છબીઘરોમાં તેમના અભિનયવાળી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પ્રદર્શિત પૂર્વે તેઓ મહાદેવને શીશ નમાવશે અને સોમનાથ મંદિર ખાતે કોઈ કાર્યક્રમમાં પણ જોડાય.

તેમજ બપોરે ત્રણ વાગ્યે સોમનાથ સમુદ્રતટના વોક-વે ઉપર પત્રકાર મિલન યોજાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.