Abtak Media Google News

કમીટમેન્ટ કે લગ્ન પ્રતિબધ્ધતા વિશે મનોવૈજ્ઞાનિક ભવનનો સર્વે

71.90 ટકા લોકો કમિટમેન્ટ પુરૂ ન થવાથી સ્વદોષ અનુભવે છે: 34 ટકા યુવાનો ગામોફોબિયા એટલે કે લગ્ન પ્રત્યેની પ્રતિબધ્ધતા અંગે ભય અનુભવે છે

લગ્નની જ્યારે પણ વાત આવે છે ત્યારે કેટલીક વ્યક્તિઓ મોટેભાગે બિમાર પડી જાય છે કે ગભરાય જાય છે. છોકરીને આ રીતે જોયને પેરેન્ટ્સ કે પરિવારને લાગે છે કે લગ્નનની વાત આવી તેનાં કારણે તે આવું વર્તન કરે છે પરંતું વાસ્તવિક રીતે આ ગામોફોબિયા છે. ગામોફોબિયા એ એક પ્રકારનો એવો ફોબિયા છે, જે લગ્ન સંબધ કે કમિટમેન્ટ સાથે જોડાયેલ છે.

જો કોઈ વ્યક્તિ પોતાનાં પાર્ટનર સાથે લગ્ન કરવાં કે ઘર વસાવવાનાં વિચારથી ભય અનુભવે છે કે પોતાનાં લગ્નની યોજનાઓ વિશે પ્રશ્ન પૂછીને પછતાવો અનુભવે છે તો બની શકે તે ગામો ફોબિયાનો શિકાર હોય.

મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિ.ના પીએચ.ડી. ના વિદ્યાર્થી તૌફિક એચ. જાદવ દ્વારા કમિટમેન્ટ કે લગ્ન પ્રતિબદ્ધતા  વિશે 810 યુવાનો પર  સર્વે કરવામાં આવ્યો. આ સર્વેના તારણો નીચે મુજબ છે.

1.કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાના વિચારના કારણે ચિંતા કે ભય લાગે છે?

–   42.50% લોકોને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાના વિચારના કારણે ચિંતા કે ભય લાગે છે, જયારે

57.50% લોકોને કમિટમેન્ટ કે પ્રતિબદ્ધતાના વિચારના કારણે ચિંતા કે ભય લાગતો નથી.

  1. તમે તમારા કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ છો?

–  89.60% લોકો કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ છે, જયારે 10.40% લોકો કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ નથી.

  1. લગ્ન સંસ્થામાં તમને વિશ્વાસ છે?

– 76% લોકોને લગ્ન સંસ્થમાં વિશ્વાસ છે, જયારે 24%  લોકોને લગ્ન સંસ્થમાં વિશ્વાસ નથી.

  1. લગ્ન જીવનની જવાબદારીથી તમે ભય અનુભવો છો?

– 34%  લોકો લગ્ન જીવનની જવાબદારીથી ભય અનુભવે છે, અને 66%  લોકો લગ્ન જીવનની જવાબદારીથી ભય અનુભવતા નથી.

  1. લગ્ન વિશે તમારી કોઈ ખોટ કે કમી કહે તો તમે ચિડાય જાવ છો?

– 30.20% લોકોને લગ્ન વિશે ખોટ કે કમી કહે તો ચિડાય જાય છે, જયારે 69.80% લોકોને લગ્ન વિશે ખોટ કે કમી કહે તો ચિડાતા નથી.

  1. ભવિષ્યમાં લગ્ન જીવનની સફળતા બાબતે તમે અસલામતી અનુભવો છો?

– 34% ભવિષ્યમાં લગ્ન જીવનની સફળતા બાબતે અસલામતી અનુભવે છે અને 66% ભવિષ્યમાં લગ્ન જીવનની સફળતા બાબતે અસલામતી અનુભવતા નથી.

  1. જયારે કમિટમેન્ટ પૂરું ન કરી શકાયું હોય ત્યારે સ્વદોષ અનુભવો છો?

-71.70% કમિટમેન્ટ પૂરું ન કરી શકાયું હોય ત્યારે સ્વદોષનો  અનુભવ કરે છે, જયારે 28.30% કમિટમેન્ટ પૂરું ન કરી શકાયું હોય ત્યારે સ્વદોષનો  અનુભવ થતો નથી.

  1. લગ્ન કરીને એક પાત્ર સાથે પૂરું જીવન કમિટમેન્ટ સાથે રહેવા ઈચ્છો છો?

– 86.80% લગ્ન કરીને એક પાત્ર સાથે પૂરું જીવન કમિટમેન્ટ સાથે રહેવા ઈચ્છે છે, જયારે 13.20% લગ્ન કરીને એક પાત્ર સાથે પૂરું જીવન કમિટમેન્ટ સાથે રહેવા ઇચ્છતા નથી.

 

ગામોફોબિયાનો ઉપચાર

ગામોફોબિયા એ એક ગંભીર સમસ્યા છે જે પ્રતિબદ્ધતાના ભયને કારણે કોઈ પ્રકારના સંબંધો કે પારિવારીક જીવનને ગંભીર રીતે નુકશાન પહોંચાડી શકે છે. જેથી ડોકટર કે સલાહકાર સાથે વાતચીત કરી તત્કાલ ઉપચાર કરાવવો જોઈએ. જો છમહિના કે લાંબો સમય સુધી રહે તો વ્યક્તિના જીવનને ઘણું નુકશાન પહોંચાડે છે. જેથી ઝડપથી ઉપચાર કરવો જરૂરી બને છે.

(1). કોગ્નીટીવ બિહેવિયાર થેરાપી: આ થેરાપીમાં ચિકિત્સક પ્રતિબદ્ધતાના ભય વિશેના નકારાત્મક વિચારોને દૂર કરે છે. જે તે રોગીઓ માટે વધારે ફાયદાકારક છે જે આવેગીક કુસમાયોજીત હોય છે. ગામોફોબિયાના દર્દી માટે પણ આ થેરાપી ફાયદા કારક બને છે.

(2). સલાહ: સલાહ એ સૌથી મહત્વપૂર્ણ ઉપચારમાંથી એક અસરકારક ઉપચાર છે. સલાહ દ્વારા લોકોને પોતાના અનુભવ, ભય, અને લાગણીઓથી સાજા થવામાં મદદ કરે છે.

(3). હિપનોથેરાપી

(4). વર્તન થેરાપી: આ થેરાપીમાં સકારાત્મકતા સાથે નકારાત્મક દૃષ્ટિકોણને બદલવામાં મદદ કરે છે. વ્યક્તિના અનિચ્છિત વર્તનની ભાતને બદલવામાં આવે છે.

(5). દવા: ડોકટરની સલાહ મુજબ દવાઓ લેવી.

ગામોફોબિયાના કારણો

– અસુરક્ષા

– પરિત્યાગનો ભય

– ડિપ્રેશન

– અવ્યવસ્થિત ઉછેર

– કોઈ નજીકની વ્યક્તિ છોડીને જતી રહી હોય

– પોતે અસુરક્ષિત છે તેવું અનુભવે ત્યારે

– માતાપિતા સાથે બેહદ પ્રેમ

– પોતાની જાતને નુકશાન પહોંચાડવાની આદત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.