Abtak Media Google News

અબતક, રાજકોટ

કચ્છ ક્ષેત્રના પુનડી ગામ સ્થિત એસપીએમ આરોગ્યધામ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજી રહેલા રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 42 સંત-સતીજીઓના સાંનિધ્યે વિશેષરૂપે વેસ્ટન કલ્ચરથી રંગાઈને પતન તરફ દોરાઈ રહેલા એમની જ રસ-રૂચિ અનુસારના ગમતા અનુષ્ઠાનો યોજીને આજના હજારો યુવાનોને લોજિક સાથેનું તથ્ય અને સત્ય સમજાવવા તેમજ અયોગ્યથી યોગ્ય દિશાનું માર્ગદર્શન આપવા રવિવાર તા.07/08/2022ના દિવસે “કલ્યાણ મિત્ર – જો હમે બનાએ સ્વમિત્ર” યુવા શિબિર, આ અનોખી શિબીર સાથે જ, સમગ્ર ચાતુર્માસ દરમિયાન પરમ ગુરુદેવના બ્રહ્મનાદે દર રવિવારે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર જપ સાધનાના ચતુર્થ ચરણની સાધના આ અવસરે કરાવવામાં આવશે.

વિશેષમાં આજના યંગસ્ટર્સના મનમાં ઉઠતી અનેક પ્રકારની જિજ્ઞાસાઓ, ઉત્કંઠાઓ અને પ્રશ્નોના ત્યારે જ પરમ ગુરુદેવ દ્વારા સચોટ અને યથાર્થ સમાધાન સાથેનો વિશિષ્ટ “ટોક શો” આ અવસરે યોજાશે.પ્રભુ ભક્તિ, કલ્યાણ મિત્ર સાથેની મિત્રતા અને સત્યનું પ્રાગટ્ય કરાવતાં ત્રિવેણી સંગમ સ્વરૂપ આ અવસરે દરેક ધર્મપ્રેમી ભાવિકો તેમજ યંગસ્ટર્સને પ્રત્યક્ષ કે લાઈવના માધ્યમે સવારે 9 કલાકે જોડાઈ જવા શ્રી એસપીએમ પરિવાર દ્વારા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.