Abtak Media Google News

સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ મહત્વનાં કેસની સુનાવણી:  ઇડીના અધિકાર ક્ષેત્ર, પેગાસસ જાસૂસી કેસ અને બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કરશે નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં આજે ઘણા મહત્વના મુદ્દાઓ પર સુનાવણી થવા જય રહી છે. જેમાં બીલકિસ બાનો કેસના 11 દોષીતોને અપાયેલી જેલ મુક્તિનો મુદ્દો સૌથી મહત્વપૂર્ણ બની રહેશે. ઉપરાંત પેગાસસ જાસૂસી કેસની સુનાવણી પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે આજે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વિવિધ જોગવાઈઓને યથાવત રાખવાના નિર્ણય સામેની રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઈ છે. આ અરજી પર ગુરુવારે એટલે કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે.

બિલકિસ બાનો કેસના દોષિતોની મુક્તિ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચ આની સુનાવણી કરશે. સામાજિક કાર્યકર્તા સુભાશિની અલી, રોકપી વર્મા અને પત્રકાર રેવતી લાલે આ કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. જણાવી દઈએ કે, આ 11 દોષિતો બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના આરોપમાં 15 વર્ષથી જેલમાં હતા, પરંતુ ગુજરાત સરકારે રાજ્યમાં લાગુ કરવામાં આવેલી મુક્તિની નીતિ મુજબ 15 ઓગસ્ટના રોજ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના નિર્ણય બાદ ઠેર ઠેર આ બાબતનો વિરોધ થઈ રહ્યો છે. હવે આ મુદ્દો ફક્ત બીલકિસ બાનો સુધી સીમિત રહ્યો નથી. આ મુદ્દો હવે નારી ગૌરત્વ હનનનો બની ગયો છે. જ્યારે કોઈ નારીના ગૌરત્વનું હનન કરવામાં આવે અને તેની નજરની સામે તેની 3 વર્ષની દીકરી સહિત પરિવારના 7 સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવે તો આવા કેસમાં સરકાર દયા ભાવના કેમ દાખવી શકે? તેવો સવાલ ઉઠ્યો છે. ખુદ ભાજપ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે પણ આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. ત્યારે હવે જે રીતે દેશભરમાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને દોષીતોની જેલ મુક્તિનો નિર્ણય રદ્દ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તેવા સમયમાં સુપ્રીમ કોર્ટ કાયદાકીય બાબતોને ધ્યાનમાં રાખી દોષીતોની જેલ મુક્તિના નિર્ણયને રદ્દ કરી દે તેવી પ્રબળ શકયતા છે.

બીજી બાજુ ઇડીના અધિકારક્ષેત્ર તેમજ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇ અંગે પણ આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરનારી છે. મહત્વનું છે કે, કોર્ટ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમની સમીક્ષા અરજી પર 25 ઓગસ્ટે એટલે કે આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રમણા, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેંચ આ મામલાની સુનાવણી કરવા સંમત થઈ હતી. કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 27 જુલાઈના ઇડીની સત્તાને જાળવી રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.

અગાઉ સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં ઇડીને ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી હતી. કોર્ટે કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ઇસીઆઈઆર)ને એફઆઈઆર સાથે જોડી શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમ્યાનકારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું હતું કે,  ઇડી સમક્ષ આપવામાં આવેલ નિવેદન જ એકમાત્ર પુરાવા છે.

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ કરી રહેલી ટેકનિકલ સમિતિને 4 અઠવાડિયાનો સમય આપીને મે મહિનામાં અંતિમ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેંચ કરી રહી છે. ફોન હેક કરીને ભારતના રાજકારણીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરનારા પેગાસસ જાસૂસી કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો.

પેગાસસ જાસૂસી કેસની સુપ્રીમમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટે પેગાસસ જાસૂસી કેસની તપાસ કરી રહેલી ટેકનિકલ સમિતિને 4 અઠવાડિયાનો સમય આપીને મે મહિનામાં અંતિમ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રમના, જસ્ટિસ સૂર્યકાંત અને હિમા કોહલીની બેંચ કરી રહી છે. ફોન હેક કરીને ભારતના રાજકારણીઓ, પત્રકારો અને સામાજિક કાર્યકરોની જાસૂસી કરનારા પેગાસસ જાસૂસી કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આ મામલામાં મે મહિનામાં સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ કરી રહેલી ટેકનિકલ કમિટીને 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ઇડીના અધિકારક્ષેત્રને ‘બાંધણું’ કે ‘છૂટો દોર’?: સુપ્રીમના ફેસલા પર દેશની મીટ

ઇડીના અધિકારક્ષેત્ર તેમજ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇ અંગે પણ આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરનારી છે. મહત્વનું છે કે, કોર્ટ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમની સમીક્ષા અરજી પર 25 ઓગસ્ટે એટલે કે આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રમણા, જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ સી.ટી. રવિકુમારની બેંચ આ મામલાની સુનાવણી કરવા સંમત થઈ હતી. કાર્તિએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 27 જુલાઈના ઇડીની સત્તાને જાળવી રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી.અગાઉ સુપ્રીમ કોર્ટે પીએમએલએ એક્ટમાં ઇડીને ધરપકડ, દરોડા, સમન્સ, નિવેદન સહિતની તમામ સત્તાઓને યથાવત રાખી હતી. કોર્ટે કહ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ઇસીઆઈઆર)ને એફઆઈઆર સાથે જોડી

શકાય નહીં. ઈસીઆઈઆરની નકલ આરોપીને આપવી જરૂરી નથી. ધરપકડ દરમ્યાનકારણો જાહેર કરવા માટે તે પૂરતું છે. કોર્ટે કહ્યું હતું કે,  ઇડી સમક્ષ આપવામાં આવેલ નિવેદન જ એકમાત્ર પુરાવા છે. હાલ ઇડીના અધિકારક્ષેત્રને લઈ કોકડું ખૂબ જ ગૂંચવાયું છે અને તે દરમિયાન સુપ્રીમ કોર્ટે જે રીતે ઇડીને છૂટો દોર સમાન અધિકાર આપ્યા બાદ આ બાબતે અનેક પ્રશ્નો ઉભા થતા સુપ્રીમ ફરીવાર આ મુદ્દે સુનાવણી કરવા તૈયાર થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.