Abtak Media Google News

3 સપ્ટેમ્બરના રોજ લોન્ચ થશે મૂન રોકેટ , અનેક નાના ઉપગ્રહો ને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં છોડશે !!!

નાસાનું આર્ટેમિસ-1 મિશન લગભગ અડધી સદી પછી મનુષ્યને ચંદ્ર પર યાત્રા કરી પાછા લાવવાના એક મહત્વપૂર્ણ પગલા તરફ છે. સોમવારના રોજ આ મિસન લોન્ચ થવાનું હતું. પરંતુ ટેકનિકલ ક્ષતિઓ આવતા આ મિશનને મુલતવી રાખવામાં આવ્યું છે ત્યારે નાશાય ફરી જે ક્ષતિઓ હતી તેને દૂર કરી ત્રણ સપ્ટેમ્બર ના રોજ મૂન રોકેટ લોન્ચ કરવા માટેનો સમય નિર્ધારિત કર્યો છે. નાસાનું મૂન રોકેટની મદદથી અવકાશયાન ચંદ્ર પર જશે, કેટલાક નાના ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં છોડશે અને પોતાને ભ્રમણકક્ષામાં મૂકશે. આ મિસન અંતર્ગત નાસા ચંદ્ર આસપાસની પરિસ્થિતિઓની તપાસ કરશે.

નાસા દ્વારા  આર્ટેમિસ પ્રોગ્રામ અવકાશ સંશોધનના ક્ષેત્રમાં શું સુનિશ્ચિત કરશે અને તે ચંદ્ર પર માનવ પગ પડ્યાની અડધી સદી પછી અવકાશ કાર્યક્રમમાં પરિવર્તનને કેવી રીતે પ્રતિબિંબિત કરશે. તે અંગે મહત્વપૂર્ણ સંશોધન હાથ ધરશે .બીજી તરફ નાસા પ્રથમ વખત અત્યંત હેવી રોકેટને ચંદ્ર ઉપર છોડવા જઈ રહ્યું છે.  આ આર્ટેમિસ-1 અન્ય રોકેટથી ખુબજ અલગ છે.

આ  રોકેટ સિસ્ટમનો એક નવો પ્રકાર છે કારણ કે તેના મુખ્ય એન્જિનો પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજન બંને પ્રણાલીઓનું સંયોજન છે, તેમજ અવકાશયાન દ્વારા પ્રેરિત બે નક્કર રોકેટ બૂસ્ટર પણ છે. તે વાસ્તવમાં અવકાશયાન અને એપોલોના સેટર્ન પંચમ રોકેટ મળીને હાઈબ્રિડ સ્વરૂપ છે. આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઓરિઅન ક્રૂન કેપ્સ્યુલનું વાસ્તવિક કાર્ય જોવામાં આવશે. આ તાલીમ ચંદ્રના અવકાશ વાતાવરણમાં લગભગ એક મહિનાનો સમય લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.