Abtak Media Google News

વધતી જતી મોંઘવારી બેરોજગારી અને બેફામ બનેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન અપાયું હતું.તે સંદર્ભે ભાજપ સરકારની નીતિ રીતિ અને શાસનના વિરોધમાં ચોટીલામાં કોગ્રસ સમિતિએ ગઇકાલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

Advertisement

Chotila 2

જેને લઇને આજે વહેલી સવારે ચોટીલાના કોંગ્રેસ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા,જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રાઘવભાઈ મેટાડિયા,ચોટીલા કોંગ્રેસ શહેર પ્રમુખ બેચરભાઈ સહિત કોહરેસ આગેવાનો અને કાર્યકર્તાએ આણંદપુર રોડ પર થી મુખ્ય બજારોમાં નાના મોટા ધંધાઓ કરનારાઓની દુકાનો બંધ કરાવવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

Chotila 3

આ અંગે ની ચોટીલા પોલીસને જાણ થતા ધારાસભ્ય સહિત આગેવાનો કાર્યકર્તાઓને પોલીસવાનમાં બેસાડીને ચોટીલા પોલીસ મથકે નજરકેદ કરવામાં આવ્યા હતા..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.