Abtak Media Google News

જામનગર, વડોદરા, ઓખા, જયપુર સહિતની ટ્રેનો રદ તેમજ

ભાવનગર મુંબઈ, અમદાવાદ સહિતની ટ્રેન આંશિક રીતે રદ રહેશે

અબતક,રાજકોટ

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા સિંધાવદર-કણકોટ-ખોરાણા-બિલેશ્વર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 22 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, છે.

રદ કરાયેલી ટ્રેનો:

  • ” ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી રદ.
  • ” ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 24.09.2022 થી 02.10.2022 સુધી રદ.
  • ” ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ 26.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 19574 જયપુર-ઓખા એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 22907 મડાગાવ-હાપા એક્સપ્રેસ 30.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 22939 હાપા-બિલાસપુર એક્સપ્રેસ 24.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 22940 બિલાસપુર-હાપા એક્સપ્રેસ 26.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ 27.09.2022 ના રોજ રદ.
  • ” ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોર મહામના એક્સપ્રેસ 28.09.2022 ના રોજ રદ.

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:

” ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 22.09.2022 થી 30.09.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંટો એક્સપ્રેસ 22.09.2022 થી 30.09.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંટો એક્સપ્રેસ સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી 30.09.2022 થી 01.10.2022 સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 23.09.2022 થી 01.10.2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 22923 બાંદ્રા – જામનગર હમસફર એક્સપ્રેસ બાંદ્રાથી સુરેન્દ્રનગર 22.09.2022, 24.09.2022, 26.09.2022 અને 29.09.2022ના રોજ દોડશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

” ટ્રેન નંબર 22924 જામનગર – બાંદ્રા હમસફર એક્સપ્રેસ 23.09.2022, 25.09.2022, 27.09.2022 અને 30.09.2022 ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી દોડશે. આમ આ ટ્રેન જામનગર-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો:

બ્લોક અવધિ માટે એટલે કે 23.09.2022 થી 01.10.2022 સુધી માર્ગમાં મોડી થનાર ટ્રેનોની વાર મુજબની વિગતો નીચે મુજબ છે:

ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક મોડી પડશે, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ દર મંગળવારે 1 કલાક 10 મિનિટ મોડી પડશે અને ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ દર શુક્રવારે 1 કલાક મોડી પડશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.