Abtak Media Google News

રાજકોટ સિટીના 6 સામે 2 અને ગ્રામ્યના એક સામે 13 નવા ફોજદારની નિમણૂક’

અબતક-રાજકોટ

રાજયનાં પોલીસ બેડામાં મોડી સાંજે વડા આશિષ ભાટીયા દ્વારા પીએસઆઇની બદલીનો ગંજીફો  ચીપવામાં આવ્યો છે.  જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 37 સહિત 169  પીએસઆઇની બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જયારે તાજેતરમાં જ બદલી પામેલા 13 ફોજદારોની બદલી રદ કરી અન્ય સ્થળોએ નીમણુંક આપવામાં આવી છે.

વધુ વીગત મુજબ  વિધાનસભાની  ચુંટણીને હવે ગણતરીનાં દિવસો  બાકી  છે  ત્યારે  રાજય ચુંટણી પંચનાં નીયમ મુજબ 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા  અધીકારીઓ  અને  કર્મચારી ની બદલીનાં આદેશને પગલે  રાજયમાં મોટાપાયે  બઢતી  અને બદલીનો દોર ચાલી રહયો છે. જેમાં જેમાં રાજકોટ શહેર જિલ્લાના સાત સહિત  રાજ્યના 169 જેટલા પીએસઆઇની બદલીન હુકમ કરવામાં આવી છે.

રાજકોટ શહેરના હાથલીયા રામભાઈ ને વલસાડ, રાજકોટ શહેરના કોડીયાતર ભરતભાઈ ને જામનગર,સાકરીયા રાઘવભાઇને રાજકોટ ગ્રામ્ય, પરમાર વિજયકુમારને રાજકોટ ગ્રામ્ય, ડોડીયા વિપુલસિંહ ને રાજકોટ ગ્રામ્ય , રાજકોટ શહેરના રાઠોડ મેહુલકુમાર સુરત ગ્રામ્ય,જામનગરના રાદડિયા સંદીપકુમાર ને રાજકોટ ગ્રામ્ય, પોરબંદરના ગોહિલ હરદેવસિંહ ને રાજકોટ ગ્રામ્ય , અમરેલીના ચૌધરી દીપિકાબેન ને બનાસકાંઠા,ભુજના ઝાલા ધર્મેન્દ્રસિંહને ભરૂચ, ભાવનગરના ગોહિલ મેઘરાજ સિંહને પંચમહાલ, સુરેન્દ્રનગરના સોલંકી સુરેશભાઈને બોટાદ, જામનગરના વાઢેર રાહુલભાઈ ને ભાવનગર, ગીર સોમનાથના મકવાણા મુકેશકુમારને જુનાગઢ, અમરેલીના કરમટા રાજાભાઈ ને ભાવનગર, અમરેલીના મોરી પૃથ્વીરાજસિંહ જામનગર, મોરબીના પટેલ હરિભાઈને બનાસકાંઠા, અમરેલીના વાઘેલા નાનજીભાઈને ગીર સોમનાથ, પોરબંદરના હરદેવસિંહને રાજકોટ ગ્રામ્ય,ભુજના અંકુશભાઈને ખેડા,જામનગરના હરિયાણી નિશાંત ભાઈને રાજકોટ શહેર,ગાંધીધામના રહેવર નિર્મળસિંહને બનાસકાંઠા, ગાંધીધામના દેસાઈ  રાજનભાઈને ભરૂચ, ભાવનગરના જાડેજા ઇન્દ્રજીતસિંહ ને રાજકોટ ગ્રામ્ય, ભાવનગરના ચૌધરી દૃષ્ટિબેનને ભશમ ભશિળય ,ભાવનગરના ચુડાસમા હરપાલસિંહને આણંદ, ભાવનગરના યાદવ મહેશકુમારને રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢના દત્તા આનંદભાઈ ને બનાસકાંઠા, પોરબંદરના ચોસલા વિજયભાઈને સુરત ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્યના ચાવડા રામભાઈને પોરબંદર, સુરેન્દ્રનગરના મકવાણા વિમલકુમારને ભરૂચ, સુરેન્દ્રનગરના સોલંકી મહાવીરસિંહને સીઆઇડી ક્રાઈમ, જામનગરના કાંટેલીયા ચંદ્રેશકુમારને વડોદરા ગ્રામ્ય, મોરબીના ભુપતસિંહને વડોદરા અને  મોરબીના પિઠીયા વાલીબેન ને દ્વારકા ખાતે બદલી કરવામાં આવી છે.

જ્યારે વડોદરાના ખાચર પ્રદીપ કુમારને જુનાગઢ,સુરત શહેરના બગડા ભાનુબેન ને મોરબી, ગાંધીનગર આઇબીના જાડેજા ચંદ્રકલાબાને દેવભૂમિ દ્વારકા, વડોદરાના સરવૈયા જયદીપસિંહને ભુજ ,અમદાવાદના ઝાલા મયુરધવજસિંહ ગાંધીધામ, અમદાવાદ શહેરના ઝાલા જયદીપસિંહ ને રાજકોટ ગ્રામ્ય, અમદાવાદ શહેરના ચાવલા કાનાભાઈ ને રાજકોટ ગ્રામ્ય, મહેસાણાના લાલકા કિસ્સા ભાઈને જુનાગઢ, અમદાવાદ એટીએસના રાણા રવિરાજસિંહને ગાંધીધામ, અમદાવાદ શહેરના ગોહિલ ધર્મદિપસિંહને ગાંધીધામ, ગાંધીનગર ધાધલ મુળુભાઈને મોરબી, અમદાવાદ ગરચર કમલેશ કુમારને રાજકોટ ગ્રામ્ય, વડોદરા શહેરના રાખોલીયા ધર્મેન્દ્રકુમારને રાજકોટ ગ્રામ્ય ,સુરત શહેરના પ્રજાપતિ દશરથભાઈને ગાંધીધામ ,સુરત શહેરના ઠક્કર દિલીપ કુમારને મોરબી,મહેસાણાના મહેતા સંજયભાઈ ને ગીર સોમનાથ, વડોદરા શહેરના મોરી જયેશભાઈ ને અમરેલી, નર્મદાના ગળચર કાનાભાઈને અમરેલી, વડોદરા શહેરના ઓડેદરા કાંધલ ને અમરેલી, ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના સંજયદાન ગઢવીને જુનાગઢ, સુરત શહેરના રાણા જગદેવસિંહને મોરબી, સુરત શહેરના પઢિયાર મહિપાલસિંહ ને સુરેન્દ્રનગર , નવસારીના ભુવા શાર્દુલભાઇને ગીર સોમનાથ, સુરત શહેરના કાનાણી ધર્મિષ્ઠાબેનને મોરબી અને અમદાવાદ ગ્રામ્યના ઝાલા મહીપાલસિંહને રાજકોટ ગ્રામ્ય ખાતે નિમણૂક આપવામાં આવી છે.

13 ફોજદારોની બદલી રદ કરી અન્ય સ્થળોએ નિમણૂક આપવામાં આવી

તાજેતરમાં જ પીએસઆઇ ની બદલીનો લીથો બહાર પાડવામાં આવ્યો હતો.જેમાં 13  ફોજદારોની બદલી રદ કરી અન્ય સ્થળોએ કરવામાં આવી છે. જેમાં પોરબંદરના રાવલ નુતનબેન ને જામનગર, રાજકોટ શહેરના હરેશભાઈ ને મોરબી, પોરબંદરના જારિયા રમેશભાઈ ને રાજકોટ ગ્રામ્ય,અમદાવાદ ગ્રામ્યના વાઘેલા ભુપેન્દ્રસિંહ ને ભાવનગર, રાજકોટ ગ્રામ્યના ગોંડલીયા વિશાખા ને આઇબી, ગીર સોમનાથના લાખણોત્રા દક્ષાબેન ને જામનગર અને રાજકોટ ગ્રામ્યના વનરાજભાઈ ને જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.