Abtak Media Google News

ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી, અંજલીબેન રૂપાણી અને નીતિન ભારદ્વાજ દ્વારા  અર્વાચિન રાસોત્સવને ખુલ્લો મુકાયો

સહિયર કલબ આયોજીત અર્વાચીન રાસોત્સવમાં પ્રથમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝય બોલાવી હતી. ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી,  કમલેશભાઈ મિરાણી, અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ દ્વારા  ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.

ગાયક કલાકાર સાજીદ ખ્યાર અને ઉર્વી પૂરોહિતનાં કંઠે પ્રથમ દોર  થમ્યો, બીજા દોરમાં અશરદાન ગઢવી તથાત્રીજા  અનેફાઈનલ રાઉન્ડમાં રાહુલ મહેતાએ રંગ જમાવ્યો હતો. વિવેક મેઘાણી, પ્રતિક ચાવડા, દિપ ચૌહાણ,  રાજ ગઢિયા, માનસી સરવૈયા, નિશી  ધામેલીયા અને  અમી  સોની વિજેતા બન્યા હતા.

વિજેતાઓને ચંદુભાઈ પરમાર,રવિરાજસિંહ જાડેજા,  નરેન્દ્રસિંહ જાડેજા,   જજ  શૈલેશભાઈ ખખ્ખર,  દિલીપભાઈ  જાડેજા,   દિલીપભાઈ  ખાચર, નિકુંજભાઈ સોની, કલ્પેશભાઈ ડોડીયા, અનિરૂધ્ધસિંહ જાડેજા,   ભગીરથ લોમીલા,  નિખીલ ગોહેલ,  જયદીપભાઈપુજારા,  મહેશભાઈ  ધામેચા, જતીન બગડાઈ તથા નિલેશભાઈ વાળાના હસ્તે અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.