Abtak Media Google News

બીજા લગ્ન કરનાર દંપતી વચ્ચે કંકાસ થતા પતિ ઘર છોડી વતન જતો રહ્યો: પત્નીએ બસ સ્ટેન્ડ પાસે જ વખ ઘોળ્યું

 

રાજકોટમાં રહેતી પરિણીતા વઢવાણ તેના પતિને મનાવવા ગઇ અને પતિ ન માનતા તેણીએ એસિડ ગટગટાવી લેતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પતિ અને પત્નીના બીજા લગ્ન બાદ બંને વચ્ચે કંકાસ થતા પતિ ઘર છોડી વઢવાણ વતન જતો રહ્યો હતો. જ્યાં બસ સ્ટેન્ડ પાસે જ પતિનો ભેટો થયો હતો અને પતિ ન માનતા વખ ઘોળ્યું હોવાનુ સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ગોકુલધામ આરએમસી ક્વાટરમાં રહેતી ટીનાબેન બહાદુરભાઈ સોલંકી નામની 27 વર્ષની પરિણીતાએ વઢવાણ બસ સ્ટેન્ડ પાસે એસિડ ગટગટાવી લેતાં પરિણીતાને સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે હોસ્પિટલના બિછાને રહેલી પરિણીતા ટીનાબેનએ જણાવ્યું હતું કે ટીના બેન અને બહાદુર ભાઈના બંનેના ચાર વર્ષ પહેલાં એકબીજા સાથે બીજા લગ્ન થયા હતા. જેમાં ટીના બેનને આગલા ઘરનો એક પુત્ર પણ છે અને બંને રાજકોટમાં ગોકુલધામ ક્વાટરમાં રહી ગુજરાન ચલાવે છે.

થોડા દિવસ પહેલા ટીના બેનથી ઘરનો દરવાજો તૂટી જતા બંને વચ્ચે માથાકુટ થઈ હતી અને પતિ બહાદુર ભાઈ થેલો પેક કરી વઢવાણ વતન જતા રહ્યા હતા. ત્યાર બાદ ટેલીફોનીક વાતચીતમાં મનાવવા છતાં પતિ પરત ન આવતા પરિણીતા પોતે જ વઢવાણ જતી રહી હતી. જ્યાં બસ સ્ટેન્ડ પાસે પતિ સાથે નોકજોક થતા પોતે એસિડ ગટગટાવી લીધી હતું. જેથી તેણીને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ બાદ અત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.