બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો ભાવિકોને દર્શન લાભ આપશે. આ સેવા કાર્યમાં નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીસીની સ્થાનકવાસી જૈન સંઘમાં નિમણૂંક આપી છે. ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ ટીમ સેવા કરશે. ગત ચાતુર્માસમાં પણ નયનાબેન મોદી અને રિધ્ધીબેન બાવીસીએ બેજોડ સેવા કરી હતી. ધર્મ કરણીમાં તપ – જપ, આયંબિલ, તપ એવમ દીક્ષાની સાંજી વગેરે આયોજનોમાં બહેનોની સંખ્યા વિશેષ હોય છે. બહેનોના નિષ્ઠાપૂર્વક સૂચારુ સંચાલનથી આરાધકોને અનુકૂળતા – સહકાર આપવાથી ધર્મ સ્થાનકોમાં આરાધકોની સંખ્યામાં વધારો થાય છે. ધર્મની સદ્દ પ્રવૃતિઓમાં કરવુ, કરાવવું અને અનુમોદનાનો લાભ મળે છે. શેઠ ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટી જીતુભાઈ બેનાણી, ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉ તથા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળાના ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, સહમંત્રી કેતનભાઈ શેઠ અને વિણાબેન શેઠ વિ. એ આ અવસરે ખાસ અનુમોદના કરેલ હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી