Abtak Media Google News

18 શખ્સો સામે ગુજશીટોક હેઠળ કાર્યવાહી કરી ‘તી: ચાર શખ્સો નાસતા ફરતા ‘તા

મોરબી સિટી વિસ્તારમાં એકાદ વર્ષ પહેલા થયેલ હત્યાના કેસના ધી ગુજરાત કંટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજસીટોક)ના ગુનામાં છેલ્લા નવ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.

મળતી માહિતી અનુસાર,    મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ નવા સીટી મોલ પાસે જૂની અદાવતમાં પીસ્તોલ   વડે અંધાધૂંધ ફાયરિંગ કરી નામચીન મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં તપાસ દરમ્યાન સંગઠીત ગુના આચરતી ટોળકી તળેનો ગુનો બનેલ હોય જેથી આ કામે  (ગુજસિટોક) એકટનો ગુનો  ઉમેરો કરવામાં આવેલ હતો. આ કામે કુલ 18 આરોપીઓની સંડોવણી ફલીત થયેલ હોય જેમાં તપાસ દરમ્યાન કુલ 14 આરોપીઓને અટક કરવામાં આવેલ છે.

જેઓ વિરૂધ્ધ સ્પેશિયલ કોર્ટ રાજકોટ ખાતે ચાર્જશીટ કરવામાં આવેલ છે. જેમાં ચાર આરોપીઓ નાસતા ફરતા હોય જેઓને પકડાવા માટે મંદાર કોર્ટ તરફથી સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટ મેળવેલ જે ચારેય આરોપીઓને પકડવા મોરબી પોલીસની અલગ અલગ ટીમો બનાવવવામાં આવેલ હતી. જેમાં નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા એલસીબી તથા પેરોલફર્લો સ્કવોડની ટીમ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન એએસઆઈ સંજયભાઇ પટેલ, એચસી પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પીસી વિક્રમભાઇ ફુગસીયાનાઓને સયુકત રીતે હકિકત મળેલ કે, મોરબીના વજેપર મેઇનરોડ, દરગાહ પાસે રહેતો હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર/ફકીર નામનો આરોપી હાલ લીલાપર ચોકડી ખાતે ઉભેલ હોય જેથી મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો આરોપીને હસ્તગત કરવા લીલાપર ચોકડી ખાતે તપાસ કરતા આરોપી મળી આવેલ હતો. જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ખાતે સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, છેલ્લા નવેક માસથી ખુન તથા ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.