Abtak Media Google News

શહેરના મવડી વિસ્તારમાં આકાર લઈ રહેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગ્રીન ટાઉનશીપમાં અપાશે સ્વીમીંગ પુલ, કલબ અને જીમ સહિતની ૩૬ સુવિધાઆ ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલનું ગોલ્ડ સર્ટીફીકેટ મેળવનાર કલ્પવન પ્રોજેકટના એસોસીએટ્સ રસીક કપુરીયા અને નિલેશ સાવલીયા સો અબતકની ‘ચાય-પે-ચર્ચા’

શહેરના મવડી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે વસવાટ કરવાનો અવસર ‘કલ્પવન’માં મળી રહ્યો છે. સંસ્કાર ડેવલોપર્સ દ્વારા શહેરના મવડી વિસ્તારમાં સૌરાષ્ટ્રની સૌી મોટી ટાઉનશીપ કલ્પવનનું નિર્માણ ઈ રહ્યું છે. આ ટાઉનશીપમાં રહેવાસીઓને માત્ર ૨૧,૪૦,૦૦૦માં અદ્યતન સુવિધાસભર ફલેટ અપાશે. જેમાં સ્વીમીંગ પુલ, કલબ અને જીમ સહિતની ૩૬ એમેલીટીસ રહેશે. ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલનું ગોલ્ડ સર્ટીફીકેટ મેળવનાર આ ગ્રીન પ્રોજેકટના એસોસીએટ્સ રસીક કપુરીયા અને નિલેશ સાવલીયા સો ‘અબતક’ દ્વારા ‘ચાય-પે-ચર્ચા’ કાર્યક્રમમાં વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.

‘અબતક’ ‘ચાય-પે-ચર્ચા’ની શરૂઆતમાં ‘કલ્પવન’ નામની પ્રેરણા વિશે વતા કરતા નિલેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, કલ્પવન એટલે કલ્પનાનું વન. કુદરતને આપણે ઓછાભાર રૂપ થાય અને કુદરતી ખનીજને આપણે જેટલું બચાવી શકીએ એવા પ્રયત્નથી અમે કલ્પવન નામ પસંદ કર્યું છે.

ગ્રીન સિટીમાં ખાસ કરીને પાણી અંગે કાળજી લેવાય છે. સુવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ૭૦ ટકા પ્રોસેસ કરીને વાપરવામાં આવે છે. આથી ૧ હજાર લીટરમાંથી ૭૦ ટકા પાણી ઝાડ પાન અને ટોયલેટમાં એ પાણી વપરાય છે.

પાણીએ દરેક માણસની પ્રામિક જ‚રીયાત છે ત્યારે અમે અમારા પ્રોજેકટમાં ત્રણ કુવા બનાવ્યા છે. જેમાં વરસાદના પાણીને રીચાર્જ કરવા માટે અમે એ પાણીને કુવામાં આખા પ્રોજેકટનું પાણી ડાયવર્ટ કરીએ છીએ. ઉનાળામાં એ કુવા રીચાર્ચ થઈ જાય છે એટલે ચોમાસાનું પાણી આપણે ઉનાળાના દિવસોમાં વાપરી શકીએ છીએ. ટૂંકમાં જે પાણી વેડફાય છે તેને આપણે રીચાર્જ કરી ઉપયોગી બનાવીએ છીએ.

ગ્રીન પ્રોજેકટને વિશે વધુ માહિતી આપતા રસીકભાઈએ જણાવ્યું હતું કે, લાઈટસમાં એલઈડી લાઈટ યુઝ કરવાની જેમ પાવર બચે છે એવી જ રીતે પ્લમ્બીંગનો સામાન જેમ કે નળ ફિટીંગછે. એમાં પણ સારી કવોલેટી હોવી જ‚રી છે જેી લીકેજ તા પાણીને બચાવી શકાય. જેમ કે નળ ફિટીંગ છે એમાં પણ સારી કવોલીટી હોવી જ‚રી છે. જેી લીકેજ તા પાણીને બચાવી શકાય.

ગ્રીન સીટી માટે ૧૫૦ ફુટ રીંગ રોડ મવડી વિસ્તારની પસંદગીનું કારણ જણાવતા રસિકભાઈ કપુરીયાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત જયારે મવડી ચોકડીથી ગોંડલ ચોકડી સુધી રીંગ રોડ ખુલ્યો અને એ રોડ પર મેકસીમમ પ્રાઈઝ નીચી હતી. લોકોને મેં જે આઠ-નવ વર્ષ પહેલા પાંચ હજારથી જે પ્લોટ આપેલા છે. એ આજે તમામનો ૪૦ હજારથી ઉપરનો ભાવ છે એનું મુખ્ય કારણ રીંગ રોડ ટચથી જે આખુ પ્લોટીંગ હતુ અને લોકોને એમા માર્જીન બહુ સારુ મળેલુ છે.

રાજકોટની અંદર છેલ્લા ચાર વર્ષથી જે મંદીનો ગાળો હતો એ મંદીના ગાળાનો હવે અંત આવી રહ્યો છે અને હવે તેજીની શ‚આત થવા જઈ રહી છે. બીજુ એકે જે પ્રથમ રીંગ રોડ નિકળ્યો અને જે તેજી આવી હતી રાજકોટમાં એવી જ તેજી આ સેક્ધડ રીંગ રોડ કોસ્મો પાસેથી ગોંડલ રોડ સુધીનો એપ્રોચ આપ્યો છે એ રીંગ રોડ ઉપર એવી જ તેજી આવશે.

માર્કેટમાં સારા આવનારા દિવસો વિશે વાત કરતા રસિકભાઈએ જણાવ્યું હતું કે આજે સૌરાષ્ટ્રની અંદર એમાય ખાસ કરીને ગામડાના લોકોને પણ રાજકોટમાં મકાન લેવુ છે. દરેકનું એવુ સપનું હોય છે કે રાજકોટમાં એક દુકાન હોય અને ઘરનું એક ઘર હોય. આ ઘરના ઘરનુ સપનુ સાકાર કરવા અમે આ કલ્પવનનો પ્રોજેકટ મુકયો છે. આ પ્રોજેકટને અમે ૧૦૦ ટકા દસ્તાવેજમાં લઈ ગયા છીએ. આજે નોટબંધીને કારણે કોઈ પાસે રોકડ રકમ નથી. જેથી અમે ૮૫ થી ૯૦ ટકા અમે લોક કરી આપીશું. ખરીદનાર ડી.પી.ભરી દેશે એટલે અમે એમને ફલેટ આપી દેશું.

ફલેટ ખરીદનાર પોતાનું ફાયનાન્સ કેવી રીતે જાળવી શકશે ? તેના વિશે વધુ માહિતી આપતા રસિકભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે હાલ અમે વ્રજ ફંડ સેકટર સાથે ટાઈપ કર્યું છે. વ્રજ ફંડ સેકટરનું ૩૨ નામાંકિત બેન્કો સાથે ટાઈપ છે. એટલે એ લોકો કસ્ટમરને ૮૫ થી ૯૦ ટકા લોન કરી આપશે. જેથી કરીને કોઈ કસ્ટમરને બજેટ અંગે જે કાંઈ પણ તકલીફ હોય એ એમાંથી રાહત મેળવી શકશે. વ્રજ ફંડ સેકટર સાઈટ પર બેસીને જ કસ્ટમરના રીટર્નનો કે અન્ય પ્રોબ્લેમ્સને સોલ્વ કરશે અને સાઈટ પર જ લોનની વ્યવસ્થા કરી આપશે.

કલ્પવનમાં લોકોને નવુ શું મળશે ? તેના વિશે ચર્ચા કરતા રસિકભાઈએ જણાવ્યું હતું કે કલ્પવનમાં ૩૮ એમેલિટીઝ આપેલી છે. જેમાં સ્વીમીંગપુલ, કલબ, જીમ એકવીસ લાખ ચાલીસ હજારના ફલેટસમાં આવી સહુલીયતો સૌરાષ્ટ્રના એક પણ ફલેટસમાં આપવામાં આવી નથી. જે કલ્પવન આપવા જઈ રહ્યું છે. કલ્પવના ટુબીએચકેના ૫૫૬ કારપેટના જ ફલેટસ આપ્યા છે. જેનું કારણ એ છે કે અર્ફોટેબલ સ્કીમમાં પ્રોજેકટને લઈ જઈ રહ્યા છીએ. ખરીદનારને સબસીડીઓને વધુને વધુ લાભ મળશે. જે ક્રાઈટ એરીયામાં આવતા હોય એ કારપેટમાં ૫૫૬ ને ૫૬૦ના એરીયામાં અમારે કવર કરવાનું છે.

કલ્પવન પ્રોજેકટમાં મેન્ટેનસની વાત કરતા રસિકભાઈએ જણાવ્યું હતું કે, કલ્પવન પ્રોજેકટમાં અમે આજીવન મેન્ટેનસ રાખેલુ છે અને પછી એજ ફન્ડીંગની બેન્કમાં એફ.ડી.કરવામાં આવે છે અને એફડીમાંથી જે વ્યાજ મળે એમાંથી જ સંપૂર્ણ મેન્ટેનેસ કરવામાં આવે છે.

વધુમાં નિલેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે એમેનિટીસમાં તો કોઈનો ઈન્ટરફીયર છે જ નહીં. એમેનિટીસ વધુને વધુ આપવાથી કસ્ટમર અને બિલ્ડર્સ બન્નેને ફાયદો છે. કસ્ટમરને ફેસેલિટીસ મળશે અને બિલ્ડર્સને બિઝનેસ મળશે. અમારી ૩૮ જેટલી સુવિધાઓમાં સ્વીમીંગ પુલ, ઈન્ડોર ગેમ્સ, જીમ હોલ કિચન સાથેનો જેમા નાના મોટા પ્રસંગો થઈ શકે, લાયબ્રેરી, મલ્ટીપ્લેક્ષ થીયેટર જેવી સુવિધાઓ અપાઈ છે. ૨૪ કલાકની સિકયોરીટી તથા સીસીટીવી કેમેરા વૃદ્ધો મહિલા અને બાળકોની સેફટી માટે મુકવામાં આવ્યા છે. બહારથી આવેલી કોઈપણ વ્યકિત અનુમતિ વગર અંદર જઈ શકશે નહીં. ઉપરાંત એ એરીયામાં સૌથી મોટો શોપીંગ મોલ પણ આપેલો છે. જેમાં બેન્કથી માંડીને હોસ્પિટલ, રેસ્ટોરન્ટ ઉપરાંત જીવન જ‚રી ચીજ વસ્તુઓ માટેની સગવડો અપાઈ છે. વધુમાં રસિકભાઈ કપુરીયાએ જણાવ્યું હતું કે ઓલ રેડી આપણી સાઈટ પર હાલમાં સીટી બસો અને રાજકોટની નામાંકિત સ્કૂલોની બસો પણ આવી રહી છે એટલે ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ જ ચિંતા નથી. એટલે લોકોને ૨૪ કલાક અવર જવરમાં કોઈ જ તકલીફ રહેશે નહીં.

રીઅલ એસ્ટેટમાં છેલ્લા ચાર મહિનામાં માર્કેટ નબળો જવાના કારણો અંગે ચર્ચા કરતા રસિકભાઈએ જણાવ્યું હતું કે ઘણા દૂર જે પ્રોજેકટ કરેલા છે એમાં જે કસ્ટમર્સને ઈન્વેસ્ટમેન્ટ કરાવેલું છે ત્યા રાઈઝીંગ નથી મળ્યું અને એ પ્રોપર્ટીઝ સેલ આઉટ નથી થઈ. એટલા માટે કદાચ મંદીનો પીરીયડ આવ્યો હોય તેવું મારુ માનવું છે.

વધુમાં નિલેશભાઈએ જણાવ્યું હતું કે, મંદીનો સમય હવે પૂર્ણ થઈ રહ્યો છે અને આવનારો સમય સુપરડુપર હીટ જશે. હું છેલ્લા સાત વર્ષથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલુ છું મારા મત મુજબ મેં આ માર્કેટમાં કયારેક મંદી જોઈ જ નથી. અમારા પ્રોજેકટમાં ૧૦૦ ટકા લોન છે. એમાય સરકારનો સબસીડીનો સહકાર છે અને કોઈપણ પ્રોજેકટમાં કવોલેટી પ્રોડકટ આપો તો માણસ અચુક તેને લેવાનો જ છે. બાકી આખા સૌરાષ્ટ્રને રાજકોટમાં રહેવું છે ઉપરાંત રાજકોટમાંથી દરરોજની ૧૦૦ જેટલી વોલ્વો બસ ઉપડે છે એનો મતલબ એવો છે કે રાજકોટમાં પૈસા છે. ઉપરાંત રાજકોટ પોતાની રીતે વિકાસ પામેલું શહેર છે. રાજકોટમાં પોતાની રીતે જ ઈન્ડસ્ટ્રીઝ ડેવલોપ થઈ છે. ઉપરાંત રાજકોટમાં સોના-ચાંદીનું પણ ખુબ મોટા પાયે કામ હોવાથી મંદી આવતી નથી. ઉપરાંત ફર્નિચર, મશીન, ઓઈલ એન્જીન અને લેમીનેશન જવેલરીનું કામ હોવાથી રાજકોટને જનરલી મંદી નડતી નથી. રીઝનેબલ રેટથી સારુ ક્ધસ્ટ્રકશન આપેલુ હોય તો મંદીની અસર થતી નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાના સમાજના લોકો પણ શા માટે સારી સુવિધાઓથી વંચિત રહે આ વિચારથી અમે ૨૧ લાખમાં આ બધી સુવિધાઓ આપેલી છે. ફલેટ ખરીદનાર પાસે કાર હોય કે ન હોય પાર્કીંગમાં તેની કાર પાર્ક કરવા માટેની જગ્યા રીઝર્વ રહેશે. નાના લોકોના બાળકો પણ સારા વાતાવરણમાં મોટા થાય ગાર્ડનમાં રમી શકે એ માટે કલ્પવનમાં ગાર્ડનની સુવિધા પણ આપવામાં આવી છે. આ તમામ સુવિધાઓથી કસ્ટમર્સનો પ્રતિસાદ પણ ખુબ જ સારો છે. કલ્પવનમાં એક ફલેટમાં ત્રણ ત્રણ લીફટ આપી છે. લાઈટ જાય તો તેના માટે જનરેટર છે. આ તમામ સુવિધા સગવડો જોઈ લોકોને સમજાય રહ્યું છે કે ખરેખર તેઓ જેની પાછળ પૈસા ખર્ચી રહ્યા છે તેનું વળતર મળી રહ્યું છે. આ પ્રોજેકટમાં અમને ૧૦૦ ટકા સફળતા મળવાની જ છે. એટલે આવા ઘણાબધા પ્રોજેકટને અમે સફળતાપૂર્વક પાર પાડી શકશું.

આગામી સમયમાં જુનાગઢ, જામનગર તેમજ મોરબી જેવા સૌરાષ્ટ્ર જુદા જુદા વિસ્તારોમાં કલ્પવન પ્રોજેકટ ઉભા કરાશે. સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો સુરતમાં છે ત્યાં પણ એ લોકોની ડિમાન્ડ છે. આવા પ્રોજેકટની અમારા આર્કીટીક અમદાવાદના છે. એ અમારા આર્કીટેક વર્લ્ડની ટોપટેન ડીઝાઈન કંપની કેનેડાની એમા અમારા જયેશભાઈ હરિયાણી એના ભાગીદાર છે અને ટોટેલ આખી ડીઝાઈન એમણે બનાવેલી છે. ત્યારે જયેશભાઈ કોઈપણ જગ્યાએ સમાધાન કરવા તૈયાર નથી. ઝીણા ઝીણી બાબતનું એમણે ધ્યાન રાખ્યું છે. પૂરેપુરા સુપરવિઝન બાદ સાઈન કરીને જ આગળ કામ થતુ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.