Abtak Media Google News

કચ્છ અને અમદાવાદમાં 16 સ્થળો પર આવકવેરા વિભાગ દ્વારા તવાઈ બોલાવામાં આવી

જીએસટીની સાથોસાથ હવે આવકવેરા વિભાગ પણ સરચ ઓપરેશન હાથ ધરી રહ્યું છે અને યોજાતા સર્ચ ઓપરેશનમાં ખૂબ મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો પણ સામે આવી રહ્યા છે. ફરી એક વખત આવકવેરા વિભાગ દ્વારા કચ્છ અને અમદાવાદમાં સર ચોપરેશન હાથ ધરવામાં આવેલું છે અને વહેલી સવારથી જ ઇન્વેસ્ટિગેશન રિંગની 16 જેટલી ટીમો દ્વારા વિવિધ સ્થળો પર તવાય પણ બોલાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ એચએક્યુ સ્ટીલ્સ એન્ડ મેટાલિંક્સ લિમિટેડ બરોડા પાડવામાં આવ્યા છે અને શક્યતા પણ સેવાઈ રહી છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે. દ્વારા મળતી માહિતી મુજબ કંપનીએ કરચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

મોટી સંખ્યામાં બેનામી વ્યવહારો જપ્ત થવાની શક્યતા, વહેલી સવારથી જ સર્ચ ચોપરેશન હાથ ધરાયું

આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેમાં કંપનીના માલિકની સાતો સાત વિવિધ ડાયરેક્ટરો અને તેના ટ્રસ્ટી ઉપર પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે અને ઓફિસની સાથો સાથ તેમના નિવાસ્થાનો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. સર્ચ ઓપરેશનના પ્રથમ દિવસે જ તમામ ડિજિટલ રેકોર્ડ્સ હાલ જપ્ત કરવામાં આવ્યા છે. ભચાઉ ખાતે આવેલી આ કંપની પર વહેલી સવારથી જ આવકવેરા વિભાગ એ થવાય બોલાવી છે એટલું જ નહીં તેની વિવિધ પેટા કંપનીઓ અને યુનિટો ઉપર પણ કંપની વહેલી સવારથી જ સર્ચ ઓપરેશનમાં જોડાયું છે.

આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી જે  પેઢીઓ કરચોરી કરતી હોવાનું સામે આવ્યું છે તેના ઉપર આકરા પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે હાલ આ તમામ કંપનીઓ કરચોરી કેવી રીતે કરવી તેના નુસખાઓ શોધી રહી છે પરંતુ હવે તમામ સેન્ટ્રલ એજન્સી આ પ્રકારની કંપનીઓ ઉપર સર્ચની સાથો સાથ સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ અને કચ્છ ખાતે જે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું તે ટીમ સૂર્યકુમાર પવાર દ્વારા લીડ કરવામાં આવી રહી છે. ઓપરેશનમાં તમામ નાણાકીય રેકોર્ડોને પણ તપાસવામાં આવી રહ્યા છે અને તેમના વ્યવહારો અંગે પણ વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. કરચોરોને અંકુશમાં લાવવા માટે આવકવેરા વિભાગ સક્રીય બન્યું છે. ગાંધીધામ, અંજાર અને ભુજમાં દરોડા દરમિયાન મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે. રાજકીય ફંડ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે.

સ્ટીલ કંપની ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી અન્ય કંપનીઓમાં પણ ફફડાટ મચી ગયો છે અને હવે એ વાતની પણ શક્યતા સિવાય રહી છે કે આવકવેરા વિભાગ ના ઓપરેશન બાદ હવે જીએસટી વિભાગની ટીમ પણ તવાઈ બોલાવશે કે કેમ ? હાલ જે રીતે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા માહિતી મળી રહી છે તેમાં એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે આ સર ચોપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી રોકડ વ્યવહારોની સાથે ઝવેરાત અને અન્ય ચીજ વસ્તુઓ પણ બહાર આવશે જેના માટે આવકવેરા વિભાગની ટીમ દ્વારા તમામ લોકરોની પણ તપાસ હાલ ચાલુ કરી દેવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.