Abtak Media Google News

ભારતે ડકવર્થ-લુઈસ મેથડ હેઠળ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું: સતત ત્રીજી વખત ટી20ના સેમીફાઇનલમાં પહોંચતું ભારત

ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હરમનપ્રીત કૌરની કપ્ટનશિપવાળી ભારતીય ટીમે સોમવારે ગ્રુપ-2માં પોતાની છેલ્લી મેચમાં ડકવર્થ-લુઈસ મેથડ હેઠળ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે જ ભારતીય ટીમ ગ્રુપ-2માંથી સેમી-ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ પહેલાં જ ટોપ-4માં પ્રવેશી ચૂક્યું છે. આજે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે સેમી-ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હરીફ કોણ હશે. મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારતનો સેમીફાઇનલ જંગ ફાઇનલથી કમ નહિ હોય

ભારતે સતત ત્રીજી વખત ટી20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલાં ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યાર બાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. કેબેરાના સેન્ટ જ્યોર્જિયા મેદાન પર ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની કારકિર્દીની બેસ્ટ (87 રન) ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા.

જવાબમાં આયર્લેડ ટીમે 8.2 ઓવરમાં માત્ર 54 રન જ બનાવ્યા હતા કે વરસાદ પડ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા DLS મેથડ હેઠળ 5 રનથી આગળ હતી. વરસાદ બંધ ન થતાં ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.