Abtak Media Google News

તા. ૩.૬.૨૦૨૩ શનિવાર

સંવંત ૨૦૭૯ જેઠ સુદ ચતુર્દશી,

નક્ષત્ર: વિશાખા

યોગ: શિવ

કરણ: વિષ્ટિ

આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય ) રહેશે.

મેષ (અ,લ,ઈ): અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) : ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ): વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

મેષ રાશિમાં બુધ,ગુરુ અને રાહુ યુતિ ચાલી રહી છે અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિવાદ માં છે. અત્રે  અગાઉ લખ્યા મુજબ એઆઈ માનવજાત માટે ઉપકારક છે કે શાપરૂપ તે વિવાદનો મુદ્દો છે. બુધ અને રાહુ સાથે મળીને ઇન્ટેલિજન્સને એવા લેવલ પર લઇ જાય છે કે જેની કલ્પના પણ ના થઇ શકે અને હવે આ જ એઆઈ માનવજીવનને ભરડો લઇ રહી છે અને તેના શોધકર્તાઓ અને સંશોધકો ઠોસ રીતે તેનો ખતરો પણ વર્ણવી રહ્યા છે કે આપણે  ભસ્માસુરને ઉભો કરી રહ્યા છીએ.

બીજી તરફ આ જ બુધ અને રાહુ ક્રિપ્ટો કરન્સીમાં નવી બાબતો અને નવા સમાચારના એંધાણ આપી રહ્યા છે વળી ગુરુ સાથે હોવાથી બુધને ગુરુની કોઠાસૂઝ મળી રહી છે વળી ૧૭ જૂનથી વક્રી થનારા શનિ મહારાજની અસર અત્યારથી વર્તાઈ રહી છે અને ઘણા મિત્રોને અચાનક પગની તકલીફ જોવા મળી રહી છે તો ખાસ કરીને જોબ કરતા મિત્રોના જીવનમાં કેરીઅર બાબતે અચાનક ઉતારચડાવ આવી રહ્યા છે

બીજી તરફ ચીન જેણે કુદરત સાથે ચેડાં કરીને કોરોના આપ્યો એ હજુ પણ જંપતું નથી અને વક્રી શનિ થવા ટાણે  પૃથ્વીના પેટાળમાં ખુબ ઊંડે સુધી કાણું પાડવાની જુર્રત કરે છે જેના ખરાબ પરિણામો પ્રકૃતિ આપ્યા વિના રહેશે નહિ જે માનવજાત માટે ચિંતાનો વિષય બની રહેશે !!!

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨
      

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.