Abtak Media Google News

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાની અસરને લઈને   પ્રથમ મોતનો બનાવ બનવા પામ્યો છે

બનાવની જાણવા મળતી વિગત અનુસાર, મૂળ નાની વાવડીના રહેવાસી મૃતક મહિલા રાજેશ્રીબેન અશોકભાઈ નામની મહિલા પોતાના પતિ સાથે માળીયા મી.નજીક આવેલ ઓનેસ્ટ્ટ હોટેલ પર નાસતો કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ભારે પવન ના કારણે પતરૂ નાસતો કરી રહેલા પતી પત્ની પર પડ્યું હતું જેમાંથી મૃતક મહિલાના પતીનો બચાવ થયો હતો

Advertisement

પરંતુ મહિલા રાજેશ્રીબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ઇમરજન્સી 108 ના પાયલોટ દાઉદભાઈ અઘામને કોલ મળતા તુરત ડો.દીપેશ ભાઈ સહિતની ટીન ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત મહિલાને માળીયા મી. સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત મહિલા નુ પ્રાથમિક સારવાર દરિમયાન મોત નિપજ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.