Abtak Media Google News

ટાવર ધરાશાયી થતાં જેટકો કંપની લાખોનું નુકશાન

બિપરજોય વાવાઝોડાને કારણે મોરબી જિલ્લાના મોટા દહિસરા ગામ નજીક આવેલ 66 કેવી નો ટાવર મોટા દહિસરા થી પીપળીયા જતી હાઈ ટેન્શન પાવર ધરાવતી 66 કેવી વીજ લાઇનનો ટાવર ધરાશાયી થયેલ છે.

જેને લઇને જેટકો કંપનીને લાખોનું નુકશાન થયેલ છે. અને આ લાઈનમાં આવતા ગામડાઓને વીજ પ્રવાહમાં મુશ્કેલી નો પડે તે માટે વીજ તંત્રના કર્મચારીઓએ ગણતરીના કલાકોમાં જ વીજ લાઇનનો બીજી લાઈનમાં ટ્રાન્સફર કરી વીજ પ્રવાહ ચાલુ કરી દીધેલ છે. હાલ બિપરજોય વાવાઝોડાને કારણે વીજ તંત્રને ભારે નુકસાની થયેલ છે. વીજ તંત્ર પણ ખડેપગે હોય જે તાત્કાલિક અસરથી લોકોને તકલીફ ન પડે તે માટે વીજ પ્રવાહ ચાલુ કરી દીધેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.