Abtak Media Google News
  • સવારે 9 થી 1:30 જ દુકાન ખુલતી હોવાના આક્ષેપ, જેને ફરિયાદ કરવી હોય તેને કરી દેજે તેવો દુકાનદારે બળાપો કાઢ્યો : સમગ્ર ઘટના વીડિયોમાં કેદ

રાજકોટના બજરંગવાડીમાં સસ્તા અનાજની દુકાન લોલમલોલ ચાલતી હોવાના આક્ષેપ સાથે એક વિડીયો વાયરલ થતા પુરવઠા વિભાગ દ્વારા હરકતમાં આવી ઝોનલને આ દુકાનદારને નોટિસ ફટકારવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં બજરંગવાડીમાં એસ.આર.અગ્રાવત નામની સસ્તા અનાજની પેઢીની બહાર એક અરજદારે તમે સવારે 9થી 1:30 સુધી જ દુકાન ખોલો છો તેવો આક્ષેપ કર્યો હતો. બાદમાં દુકાનદારે વિડીયો ઉતારવા સામે વિરોધ કરીને જેને ફરિયાદ કરવી હોય એને કરી દેજે તેવો જવાબ આપ્યો હતો. આ વીડિયો પુરવઠા તંત્ર સુધી પહોંચતા પુરવઠા તંત્ર દ્વારા ઝોનલને આ દુકાનદારને નોટિસ ફટકારવાનો આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સસ્તા અનાજનો આ દુકાનદાર વાસ્તવમાં કોઈ અન્ય વ્યક્તિ છે. હકીકતમાં એસ.આર. અગ્રાવત નામની સસ્તા અનાજની દુકાનનો પરવાનો કોઈ કારણોસર રૈયાના પરવાનેદાર ચાર્જમાં ચલાવે છે. જ્યારે તેઓએ બીજા વ્યક્તિને  બેસાડ્યો છે. આ વ્યક્તિ લોલમલોલ દુકાન ચલાવતો હોવાની ફરિયાદો ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.