Abtak Media Google News

મોડી રાતે હ્રદય રોગનો તિવ્ર હુમલો આવતા નિધન: વડનગર મેડિકલ કોલેજમાં દેહદાન

ઉંઝા ઉમીયા સંસ્થાના પ્રમુખ માજી ધારાસભ્ય અને ગુજરાતના પાટીદાર અગ્રણી  વિક્રમભાઇ ધનજીભાઇ પટેલનું ગત મધરાતે હ્રદયરોગના તિવ્ર હુમલો આવતા અવસાન થયું છે. તેઓના અવસાનથી પાટીદાર સમાજે પ્રથમ પંકિતના સેવાભાવી આગેવાનને ગુમાવ્યા છે. વિક્રમભાઇનું નિધન થયું હોવાની વાત જાણવા મળતા તેઓના પાર્થીવ દેહના દર્શનાર્થે પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડયા હતા.

ઉંઝા ઉમીયા સંસ્થાના પ્રમુખ અને માજી ધારાસભ્ય વિક્રમભાઇ પટેલ છેલ્લા ત્રણ દિવસથી બિમાર હતા દરમિયાન ગત મધરાતે હ્રદય રોગના તીવ્ર હુમલો આવતા તેઓનું અવસાન થયું હતું. તેઓના પાર્થીવ દેહને અંતિમ દર્શનાર્થે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાક સુધી ૧૩ ગોકુલધામ પાર્વતીનગર સોસાયટી પાસે વિરનગર રોડ ઉંઝા ખાતે રાખવામાં આવ્યો હતો આ વિક્રમભાઇના અંતિમ દર્શન કરવા પાટીદાર સમાજ ઉપરોકત ઇત્તર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. વિક્રમભાઇ પટેલના પાર્થીવદેહને વડનગર મેડીકલ કોલેજમાં દેહદાન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિક્રમભાઇએ ઉંઝા સ્થિત ઉમીયા ધામના વિકાસ માટે મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો તેઓના અવસાનથી પાટીદાર સમાજે એક ટોચના સમાજ સેવક ગુમાવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.