Abtak Media Google News

કચ્છની સામે પાર આવેલા પાકિસ્તાનના મિઠી શહેરમાં આજે સવારે બે હિન્દુ વેપારી ભાઇઓની અજાણ્યા હુમલાખોરોએ લૂંટના ઇરાદે બંદુકની ગોળી મારીને હત્યા કરી હતી. આખા બનાવના પાકિસ્તાનમાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા છે. દિલીપ કુમાર (ઉ.વ. 37) અને ચંદરકુમાર રાઠી (ઉ.વ.34) નામના આ બંને વેપારી ભાઇઓની મિઠીમાં અનાજની દુકાન છે. આજે સવારે પાકિસ્તાનના સમય મુજબ સવારે આઠ વાગ્યે તેઓ દુકાન ખોલતા હતાં ત્યારે બાઇક પર હેલ્મેટ પહેરેલા બે શખ્સો તેમની પાસે આવ્યા અને હાથમાં રહેલો થેલો કે જેમાં રોકડ હતી તે ઝુંટવવાનો પ્રયાસ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.