અમદાવાદ શહેરના જીએમડીસી મેદાનમાં એજ્યુકેશન ફેર યોજાયો છે. આ શિક્ષણ મેળામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અનાથ અને વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો, આર્મી અને પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રાહત આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, દર વર્ષે 2500 વિદ્યાર્થીઓની 5 લાખ સુધીની અભ્યાસ ફી રાજ્ય સરકાર ભરશે. મેડિકલ, સેલ્ફ ફાયનાન્સ અને એન્જિનિયરિંગની ફીનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવતા આ જાહેરાત કરી હતી.
Trending
- સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ‘ચંચુપાત’ન કરવો જોઈએ : જયેશ રાદડિયા
- કર્ણાવતી સ્કુલનું ધો.10નું શ્રેષ્ઠ પરિણામ
- રફાળેશ્વર પાસે સગીરાનું શંકાસ્પદ મોત, પ્રેમીએ દવા પીવડાવ્યાનો પરિવારનો આક્ષેપ
- પૂજા હોબી સેન્ટરનો દબદબો: 33 ગોલ્ડ, 14 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા
- હવે પર્યાવરણનું જતન ન્યાયતંત્ર જ કરાવી શકે!
- જૈન આચાર્ય લોકેશજીએ ઉત્તરાખંડ રાજભવનની ગૌશાળામાં કરી ગાયોની સેવા
- શ્રેયાંશ સ્કુલનું અભૂતપૂર્વ પરિણામ: વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ
- નવા કોર્ટ સંકુલમાં 100 દિવસમાં 30 કેસોમાં સજાનું એલાન