Abtak Media Google News

તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા અનુરોધ કરતા કમલેશ મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.૨૯ ને રવિવારે સવારે ૧૧ કલાકે શહેરના તમામ વોર્ડના તમામ શકિતકેન્દ્રો પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત નો કાર્યક્રમ યોજાશે વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે દર માસના અંતિમ રવિવારે નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમ દ્વારા પોતાના વિચારો શેર કરે છે.

આ કાર્યક્રમમાં લોકો પોતાના વિચારો રજૂ કરે છે.દેશભરમાંથી બાળકો તથા અન્ય નાગરીકો પોતાના વિચાર વડાપ્રધાનને મોકલે છે. પસંદ કરેલા વિચારોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત દ્વારા લોકો સાથે સીધોસંવાદ પ્રસ્થાપિત કરે છે.મન કી બાત નું આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્કો પર પ્રસારિત કરાઈ છે.

વડાપ્રધાન કાર્યાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા દૂરદર્શન સમાચારની યૂ ટયૂબ ચેનલો પર પણ ઉપલબ્ધ હોય છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવવા કમલેશમિરાણી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે અનુરોધ કર્યો છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.