Abtak Media Google News
  • સવારે બાલ્કનીના બ્રશ કરતી વેળાએ સર્જાઈ કરુણાંતિકા: બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરના સિટી સ્ટેશન પાસે જુના મોરબી રોડ નજીક આવેલી રાજનગર સોસાયટીમાં રહેતા યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત થયું હતું. સવારે બાલ્કનીમાં બ્રશ કરતી વેળાએ કરુણાંતિકા સર્જાઈ હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂના મોરબી રોડ પર આવેલા સિટી સ્ટેશન પાસે આવેલા રાજનગર સોસાયટી શેરી નંબર -૨માં રહેતા સમીર મદે સરેન નામના ૨૮ વર્ષીય યુવાન ત્રીજા માળેથી પટકાતા ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસ મૃત જાહેર કર્યો હતો.

આ અંગે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક ઇમિટેશનું કામકાજ કરતો હતો અને તેના આકસ્મિક મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.