Abtak Media Google News

કેમ્પમાં ૨૨૫ પરિવારોને સ્થળ પર જ ‘માં’ કાર્ડ કાઢી અપાયા

મનપા તથા સમસ્ત મોઢવણિક સમાજ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પાડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે તાજેતરમાં મોઢવણિક બિલ્ડીંગ, રજપુતપરા ૫ માલવીયા પેટ્રોલ પંપ સામેની શેરી, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ

આ કેમ્પમાં વિવિધ વિસ્તારનાં ૨૨૫ પરિવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતો જેમાં લગભગ ૮૦૦ વ્યકિતને આ યોજનાનો લાભ મળશે.આ કેમ્પનું ઉદઘાટન નીતિનભાઈ ભારદ્વાજ પ્રદેશ ભાજપ અગ્રણી ભાજપ તથા દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો.

તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં ડો.જૈમનભાઈ ઉપાધ્યાય મેયર રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન હાજર રહ્યા હતા.આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિત તરીકે કમલેભાઈ મીરાણી પ્રમુખ ડે.મેયર દર્શીતાબેન શાહ, અરવિંદભાઈ રૈયાણી રાજુભાઈ અઘેરા દેવાંગભાઈ માંકડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.comm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.