Abtak Media Google News

લખનઉ ખાતે બહુજન સમાજ પાર્ટિની રાષ્‍ટ્રીય કાર્યવાહીણીની મીટીંગ યોજાઇ. લખનઉ ખાતે બહુજન સમાજ પાર્ટિનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ માયાવતીજી પૂર્વ મુખ્‍યમંત્રી ઉતરપ્રદેશના અધ્‍યક્ષ સ્‍થાને બહુજન સમાજ પાર્ટિની રાષ્‍ટ્રીય કાર્યવાહીણીની મીટીંગ મળેલ હતી. જેમાં માન. રામ અચલ રાજભર સાહેબ અધ્‍યક્ષ ઉતરપ્રદેશ બ.સ.પા.ને રાષ્‍ટ્રીય મહાસિચવ તરીકે વરણી કરવામાં આવેલ હતા. તેમજ રાજયસભા સાંસદ માન. એડવોકેટ બીરસિંહ તેમજ માન. જે.પી.સીંગ સાહેબને રાષ્‍ટ્રીય કોર્ડિનેટર તરીકે નિમણુંક આપવામાં આવેલ હતી. જેઓની નિમણુંકને બહુજન સમાજ પાર્ટિ ગુજરાત પ્રદેશની યુનીટ તથા કાર્યકર્તા તથા પદાધિકારીઓ દ્રારા આવકારવામાં આવેલ છે.

Advertisement

ઉપરોકત મીટીંગમાં માન. એડવોકેટ અશોક ચાવડા અધ્‍યક્ષ ગુજરાત પ્રદેશ તથા મા.મોહન રાખૈયા, મા. નિરંજન ઘોષ, માન. દામજી સોંદરવા મહાસચિવ ગુજરાત પ્રદેશ તેમજ માન. દિલાવર મુલતાની, માન. બીપીન સોલંકી સચિવ ગુજરાત પ્રદેશ તેમજ માન. નિકેશ ઝેન, એડવોકેટ શૈલેષ સોલંકી તથા પ્રદેશ કમીટીના તમામ પદાધીકારીઓ ઉપસ્‍થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.